SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૯ • એટલે તેઓએ ઉતાવળા જઈને તે પ્રમાણે રાજાને નિવેદન કર્યું". તેથી રાજાએ તેમને બહુ દ્રવ્ય આપ્યું, અને અત્યંત ઉત્કંઠિત થઈને કુમારને તરત ત્યાં ખેલાવ્યું. પછી તેને ગાઢ આલિંગન દઇ બહુમાનપૂર્વક આસન આપીને પૂછ્યું કે – હે વત્સ ! તું કયાંથી આવે છે ? તારૂ કુળ અને જાતિ શુ છે? અને તારૂ નામ શું છે?” તે સાંભળીને કુમાર ખેલ્યા કે - હે સ્વામિન્ ! અહુ પૂછવાથી શું ? આપને જે કામ હોય તે ફરમાવા, આપના પ્રશ્નોને। તે જ ઉત્તર સમજી લેવા.’ એટલે રાજાએ ચિતવ્યુ કે:-‘આ કાઈ સત્ત્વવાન્ અને પરમા કરવામાં રસિક પુરૂષ લાગે છે અને અનુમાનથી એના કુળાદિ પણ ઉત્તમ જણાય છે.’ આ પ્રમાણે વિચાર કરીને રાજા તેને લઇને કન્યાની પાસે આવ્યા, અને ‘હું નરેાત્તમ ! આ મારી પુત્રીને દેખતી કરેા;” એમ કહ્યું; એટલે કુમારે સુગંધી દ્રવ્યે। મંગાવી વિધિપૂર્વક તેનુ મંડળ કરીને જાપ અને હોમાદિક કરવા લાગ્યા. કહ્યુ છે કેઃ "आडंबराणि पूज्यते, शत्रुमध्ये तथैव च । सभायां व्यवहारे च स्त्रीषु राजकुलेषु च " ॥ । A શત્રુઓમાં, સભામાં, વ્યવહારમાં, સ્ત્રીએ માં અને રાજદરબારમાં આડંખરને વધારે માન મળે છે.” આ પ્રમાણે નીતિમાં કહેલ હાવાથી તેણે કેટલાક આડંબર કરીને પછી કેડમાં રાખેલ વેલ અને ભારડ પક્ષીની ચરકના પ્રત્યેાગથી તે કન્યાને દિવ્ય નેત્રવાળી કરી. રાજપુત્રી નિર્મળ આંખવાળી થઈ ગઈ, એટલે સૌભાગ્યના નિધાન જેવા, રૂપમાં કામદેવને પણ
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy