SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ 3 પિપટને કહ્યું છે? એટલે જઈને શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એક્તા શેઠે પોપટને કહ્યું કે –હે શુકરાજ એકાંતમાં આવે, મારે તમને કાંઈક પૂછવું છે. એટલે પોપટ અને શેઠ બંને વનના અંદરના ભાગમાં ગયા. ત્યાં એકાંત જોઈને શેઠે તેને કહ્યું કે – “હે પિપટ! હે પંડિત ! હે બુદ્ધિવિશારદ! પૂર્વે તે કહ્યું હતું તે બધું સત્ય થયું છે. તે સ્પર્શ પાષાણ મેં મેળવ્યું છે, હવે તેની પ્રતિમા શી રીતે કરાવવી? તે કહે ” પોપટ બેલ્યો કે –“તું મારે પૂર્વ ભવને મિત્ર છે, માટે તને કહું છું હે પુણ્યાધિક ! સાંભળ-આ પાષાણને લઈને સવારે સાથ સહિત અહીંથી પ્રયાણ કરો. સાત દિવસમાં આ અટવી ઓળંગીને પછી ત્યાં અટક. એટલે હું પણ પત્ની સાથે ત્યાં આવીશ, અને પછી જે ચગ્ય હશે તે કહીશ.” શેઠે તે વાત કબુલ કરી અને સવારે સાર્થસહિત ત્યાંથી પ્રયાણ કર્યું. પોપટ પણ સાથે જ ચાલ્યો. સાત દિવસે અટવી ઓળંગીને સાથે વિશ્રાંતિ લેવા અટક્યો. બીજે દિવસે શેઠે એકાંતમાં પોપટને પૂછયું કે –“હે શુકરાજ ! હે પ્રાણવલ્લભ ! તારા કહ્યા પ્રમાણે કર્યું, હવે શું કરવું ? પિપટ બેલ્ય :આ લતા દેખાય છે. તેના પ્રભાવથી તારું કાર્ય સિદ્ધ થશે; તેથી એ લતાના પાંદડાં લઈ ભેગા કરીને તારે આંખ પર પાટે બાંધો. તેના પ્રભાવથી મનુષ્ય ગરૂડપક્ષી થઈ જાય છે. પછી ઉડીને ચટક પર્વત પર જવું. ત્યાં શાલ્મલિ નામે એક પ્રૌઢ વૃક્ષ છે. તેના ફળમાં છ પ્રકારને સ્વાદ રહે છે અને તેનું પુષ્પ છ રંગવાળું હોય છે. એક ભાગમાં ધૂળે, એક ભાગમાં લાલ, એક ભાગમાં પળે, એક ભાગમાં વાદળી, એક ભાગમાં કાળ, ૨૫ ...
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy