SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર માતપિતાનું પ્રેતકાય (મૃત પાછળની ક્રિયા) કરીને સ્વકુટુંબની ચિંતામાં પડયા. કેટલાક વખત પછી તેએ શાકરહિત થયા અને મરૂભૂતિ રાજાનું પુરાહિતપણુ કરવા લાગ્યા. એકદા શ્રેષ્ઠ પ્રશમામૃતથી સિ'ચાયેલા અને ચાર જ્ઞાનને ધારણ કરનારા હરિશ્ચંદ્ર નામના આચાય ભવ્યકમળાને પ્રતિમાધ પમાડતા છતાં પાતનપુરના નજીકના ઉપવનમાં પધાર્યા,, એટલે તે મુનીશ્વરના આગમનને જાણીને નગરજના પેાતાના આત્માને ધન્ય માનતા તેમને વંદન કરવા ગયા. તે વખતે રાજા, કમઠ અને મરૂભૂતિ વિગેરે સમસ્ત રાજવ પશુ તેમને વંદન કરવા આવ્યા અને સૂરિજીને ભાવથી વંદન કરીને રાજાદિક સર્વે યથાસ્થાને બેઠા. એટલે સૂરીશ્વરે પેાતાના જ્ઞાનથી મરૂભૂતિને ભાવિ પાર્શ્વજિનના જીવ જાણીને વિશેષ રીતે તેને ઉદ્દેશીને ધ દેશના દેવાના પ્રારંભ કર્યાં. “હું ભવ્ય જના ! કરાડા ભવામાં પણ પ્રાપ્ત થવી દુર્લભ એવી નરભવાદિ સકળ સામગ્રી પ્રાપ્ત કરીને ભવજલધિમાં નાવસમાન એવા જૈનધર્મ ના આરાધનમાં સદા પ્રયત્ન કરેા. જેમ અક્ષર વિનાના લેખ, દૈવ વિનાનું મંદિર અને જળ. વિનાનું. સરાવર ન શાલે તેમ ધર્મ વિના મનુષ્ય ભવ પણ શાભતા નથી, વળી હું ભવ્યાત્માએ ! વિશેષ રીતે શ્રવણપુર (મન)ને એકાગ્ર કરીને સાંભળેા-આ દુર્લભ માનવભવને પામીને ધન, અશ્વ, પ્રમાદ અને મથી માહિત થઇ તેને વૃથા ન ગુમાવા. મૂળથી છેદાયેલ વૃક્ષ, મસ્તક રહિત સુભટ અને ધર્મટ્વીન ધનવાન કેટલેા વખત લીલા કરી શકે. જેમ વૃક્ષની ઉંચાઈ ઉપરથી પૃથ્વીમાં રહેલ તેનુ મૂળ કેટલુ ઉંડુ છે તે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy