SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સદ્ધાર શ્રી નરવાહન રાજા ઉગ્ન વંશના ઉત્તમ રાજવી છે. ભાગ્યદેવતાની પ્રસન્નતા હેય તેજ એમના સાથે સંબંધ સંભવી શકે. રિપુટ્ટારણકુમાર વિશિષ્ટ વિદ્યાસંપન્ન હશે તે આપણી આશા ફલીભૂત થશે. મારી ગુણવતી કન્યાને લઈને સિદ્ધાર્થ પુર નગરે જઉં અને કુમારની પરીક્ષા કરી નરસુંદરીના મંગળ લગ્ન કરાવી દઉં. જેથી મને માનસિક શાંતિ થાય. સિદ્ધાર્થપુરમાં આગમન અને રિફદારણને ફજેતા: શુભ દિવસે ચતુરંગ સૈન્ય સાથે વહાલસેઈ પુત્રીને સાથે લઈ શ્રી નરકેશરી રાજાએ પ્રયાણ કર્યું અને કમેકમે સિદ્ધાર્થપુરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. મારા પિતાજી શ્રી નરવાહન રાજાને એમણે પિતાના આવવાના સમાચાર દૂત દ્વારા જણાવ્યા. પિતાજી સંદેશ સાંભળીને ખુબ ખુશી થયા. રાજાશાહી દબદબા પૂર્વક એમનું સન્માન ઉમળકા ભેર કરવામાં આવ્યું. અનેક વધામણું અને ધવળ મંગળ ગીત સાથે નગરપ્રવેશ કરાવી ઉત્તમ રાજકીય મહેલમાં ઉતારે આપવામાં આવ્યું. ઉભય વડિલેએ વિચાર વિમર્શ કરી જાહેર ઉઘેષણ કરાવી કે “શ્રી વિપુદારણના કળા અભ્યાસની શ્રી નરસુંદરી પરીક્ષા લેનાર છે અને પરીક્ષામાં કુમારશ્રી ઉત્તીર્ણ થશે એટલે શ્રી નરસુંદરી પિતાના કેમળ કરપલ દ્વારા કુમારના કંઠમાં વરમાળા પહેરાવશે. નગરના બહારના ભાગની વિશાળ ભૂમિ ઉપર મહામંડપ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy