SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ વિમળનો વિરાગ ૩૭૧ તૃષ્ણાને વધુ ઉમેરે થાય છે અને કંઠશેષ ઉભું થાય છે એ ખરી પિપાસા ગણાય. સંસારીઓ ભલેને સ્વાદુ અને શીતળ જળપાન કરતા હોય પણ તત્ત્વતઃ એ ભગતૃષ્ણાથી સદા તૃષિત જ હોય છે, | નિગ્રંથ મુનિએ બાહ્ય નજરે ભલે તરસ્યા જણાતા હોય પણ ભેગપિપાસા એમની પૂર્ણવિરામ પામી હોવાથી વસ્તુતઃ તૃષિત ન ગણાય પણ વીતતૃષ્ણ ગણાય. ૪ માગશ્રમ : જે સંસારમાર્ગની આદિ નથી તેમ અન્ત નથી. દુઃખરૂપી ધૂળથી પરિપૂર્ણ ભરેલ છે. વિષયરૂપી ચેથી વધુ ભયાનક બનેલા છે. આ માર્ગને સમય સંસારમાર્ગ કહે છે. બાહ્ય નજરે સુંદર મહેલાતેમાં મહાલતા જણાતા સંસારસ્થ આત્માઓ સદા અવિરત આ માર્ગની મુસાફરી કરતા હોય છે અને ભાવથી એ જ લકે માર્ગશ્રમના શ્રમથી શ્રમિત બનેલા ગણાય. પરતુ ઋષિવરે બાહ્ય માર્ગના પરિભ્રમણથી થાકી ગએલા. જણાતા હોય, એમનું શરીર પડું પડું થઈ રહ્યું હોય છતાં એ “વિવેકગિરિવર” ઉપર આવેલા “જૈનનગર” ના “ચિત્તસમાધાન” નામના હિમગૃહ સમા વરમંડપમાં આરામથી બેઠેલા હોય છે. એ આંતરથી અખેદી હોય છે. ૫ કેતઃ સમ્યક્ત્વ એ આત્માનું રૂપસૌદર્ય છે, એ રૂપસૌંદર્યને દૂષિત કરનાર અને સર્વ દુઃખનું મહાકારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ જ ભાવકેઢ રોગ છે. આ જીવે ભલે રૂપે રંગે રૂડાં રૂપાળાં દેખાતાં હોય પણ એમનામાં મિથ્યાત્વનું
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy