SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ઉપમિતિ કથા સારદ્વાર mmmmmmmmmm ચાલે ત્યારે આપણે પ્રભુમંદિર જઈએ. હું અને વિમળ પ્રભુમંદિર ભણી ચાલ્યા. વિમળ મંદિરમાં ગયે અને પ્રભુને વંદન કર્યું. * હું મંદિરના દરવાજા ઉપર જ ઉભે રહ્યો. મને વિચાર આવ્યું કે વિમળને રત્ન ચર્યાની વાત ખ્યાલમાં આવી ગઈ લાગે છે. બળજબરીથી મને મળેલું રત્ન પડાવી લેશે. મારી કનેથી ખૂંચવી લેશે. અહીંથી પિબારા ગણું જાઉં તે સારૂં. અહીં રહેતા મારે છૂટકારો થાય એમ નથી. આ નિર્ણય કરી, હું ત્યાંથી ભાગ્યો અને ત્રણ દિવસમાં અઠ્ઠાવીશ જન ભૂમિ પસાર કરી નાંખી. - અઠ્ઠાવીશ જન આવ્યા પછી મેં કમરપદેથી રત્ન કાઢયું. ગાંઠ છેડી જોયું તે રત્નના બદલે ગોળ પાણે. પાણે જોતાં જ ત્યાં મૂછ આવી અને પછડાટ ખાઈ ઢળી પડ્યો. જરા સ્વસ્થતા આવી એટલે હું મોટી બૂમ પાડી રડવા લાગે અને માથું પછાડવા લાગ્યા. કકળ અને ધમપછાડા કરી મૂક્યા. રડે શું વળશે ? ચાલ પાછો એ વનમાં અને રત્ન લઈ આવું, આ વિચાર કરી હું પાછું વળે. વામદેવની શેાધ અને મિલન : હે અગૃહીતસંકેતા ! એ વખતે વિમળ પ્રભુના દર્શન કરી જિનમંદિર બહાર આવ્યું અને મને ત્યાં એણે ન જોયે. કડાનંદન વનમાં તપાસ કરાવી પણ હું ત્યાં ન મ. પિતાના માણસને ચારે બાજુ શોધ કરવા મોકલી આપ્યા. એમાંથી શોધ માટે આ તરફ આવેલા માણસેએ મને જોઈ લીધે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy