SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ નવમું મહેશ્વર અને ધનગર્વ રાજમહેલમાંથી મામા ભાણેજ નગરભણી નિકળી ગયા હતાં. સૂર્ય અસ્ત થએલ હેવાથી અંધકારે પિતાનું સામ્રાજ્ય ફેલાવ્યું. બધે કાજળ જેવું અંધારું વ્યાપ્ત બની ગયું હતું. રાજ્ય તરફથી રાજમાર્ગો ઉપર તેજસ્વી દીપમાળે કરવામાં આવી હતી. દુકાનમાં સૌએ રંગરંગીન દીપમાળે પ્રગટાવી હતી. મામા ભાણેજના જોવામાં એક વિશાળ દુકાન આવી એમાં અનેક રંગી દીવાએ પ્રકાશ પાથરી રહ્યા હતા. મોટી ગાદીએ એમાં બિછાવેલી હતી. ચારે તરફ ચતુર વણિક પુત્રે બેઠા હતા અને વચ્ચે એક ગર્ભશ્રીમંત જણાતા ધનપતિ શોભી રહ્યાં હતાં. એ શ્રીમંત ધનપતિના સામે ઝગઝગાયમાન રત્નને સમુહ પડ્યો હતેા. રને ઘણાં મહાર્ણ અને ફલદાયી હતા. પ્રકર્ષ–મામા! આ મહેશ્વર ધનપતિ પિતાના રત્નોને જોઈ જોઈ શા માટે ખુશ થાય છે? સ્તબ્ધ જે કેમ બની જાય છે? આના નયને નિર્મળ દેખાય છે છતાં સામાને કેમ બરાબર જેતે નથી? કાનમાં બહેરાશ હેય એવું જણાતું નથી છતાં વિનયપૂર્વક બેલતા યાચકોના વચન કેમ સાંભળતું નથી ?
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy