SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ઉપમિતિ કથા સારોદ્ધાર એની આજ્ઞાપાલનમાં જરા પણ અપતા કે મંદતા રાખતા નથી. પરંતુ આનંદ અને મન પ્રસન્નતા વ્યક્ત કરતાં હોય છે. આવા સમર્થની આજ્ઞાને અસ્વીકાર કરવા કેણ સમર્થ છે? બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ જેવા દે, પારાશર, વિશ્વામિત્ર જેવા માન્ધાતા ઋષિઓ પાસે એવા ફજેતા અને તેને કરાવ્યા છે, કે જેનું વર્ણન કરતાં શરમના શેરડાં છૂટે. એ મકરધ્વજે પરાક્રમ અને વિશિષ્ટ શક્તિથી પિતાના ત્રણ રૂપે કરી વિશ્વને પિતાના પગતળે રાખ્યું છે. પુરૂષ : ભાઈ ! એની બાજુના ત્રણ પુરૂષમાં જે પહેલે છે એનું નામ “પુરૂષદ” છે. પુરૂષદના પ્રભાવથી પુરૂષે પિતાના નિર્મળ કુળની અવગણના કરીને પરવારીને પ્રેમમાં પટકાય છે. પિતાની સુરક્ષા સલુણ નારીને તરછોડી પરાઈ કુરૂપ નારીના નેહપાશમાં બંધાઈ જાય છે. પછી એ પોતાના કુળની કીતિને ગણકારતું નથી. ગુણશીલતાને નાશ થશે એ વિચારતે નથી. સંધ્યાગત ક્ષણિક સેનેરી વાદળદળની કાંતિ જેવા સુખમાં આત્મભાન ભૂલી જાય છે. સ્ત્રી વેદ : ભદ્ર! બીજા નરનું નામ “સ્ત્રીવેદ” છે. એ પુરૂષદ કરતાં વધુ પાવરધે છે. સ્ત્રીઓમાં સ્ત્રીવેદ જ્યારે વેગવાન બને ત્યારે એ સ્ત્રી લજા, નમ્રતા, કમળતા, શીલતા વિગેરે ગુણેને જલાંજલિ આપી દે છે. પરપુરૂષમાં આસક્ત બની
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy