SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌતાચાર્ય અને વેલણક કથા ૧૨૩ સમય કહ્યું, દેવ ! મેં આપને આહાર આરોગવા ના કહી હતી, પણ આપ મારી વાતની અવગણના કરી વધુ ખાધું તેથી એનું કેવું ભયંકર પરિણામ આવ્યું? વેલકે કહ્યું, સમયજ્ઞ ! મેં વધારે ખાધુ જ નથી. વાયુના પ્રકોપથી ઉલટી થઈ ગઈ છે. મારું પેટ ખાલી થઈ ગયું છે. મારે ભજન કરવાનું છે. જે પેટ ખાલી રહેશે તે વાયુથી જઠર ભરાશે અને વધુ નુકશાન થશે. મને હજુ ખાઈ લેવા દે. ભજન સ્થળે જે ઉલટી થએલી હતી એના છાંટા ભેજનના ભાણામાં પણ ઉડેલા છતાં એની દરકાર ન કરતાં વેaહકે ભોજન કરવું ચાલુ કર્યું. સમય હાથ પકડી કહ્યું, દેવ! દેવ ! આ શું કરે છે? કાગડા જેવું ઘણાસ્પદ વર્તન આપને શોભે? કયાં આપને ચંદ્રકિરણ જે યશ ? કયાં આપની નિર્મળ શરીર કાંતિ? કેવું આપનું વિશાળ રાજ્ય ? કેવા આપના ગુણશીલ માતા પિતા? આપથી આવા બિભત્સ પદાર્થો ખવાય? મારા દેવ ! આ ભેજન તજી દે. મને સુધા અત્યંત સતાવે છે. હું તે ખાઈશ. તમે મને ન અટકાવે. એમ જણાવી વેદ્યહકકુમારે ઉલટી-વમન મિશ્રિત આહાર આગ ચાલુ કર્યો અને પરિણામે જવર એકદમ વધી પડ્યો. વરની સાથે સન્નિપાતને વ્યાધિ ઉભે થયે. સન્નિપાતના લીધે કુમાર પિતાનું ભાન ગુમાવી બેઠે. ઉલટી-વમન કરેલી ભૂમિમાં જ આળોટવા લાગ્યું.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy