SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌતાચાય અને વેલહક કથા ૧૧૭ આટઆટલું કરૂ છું. છતાં આ દુષ્ટ સાંભળતા જ નથી, તેથી આ પાપાત્માને હજુ મારવા પડશે. ” આટલા પ્રયત્ન છતાં કેમ એક પણુ અક્ષર સાંભળતા નથી ? તમે અહીંથી આઘા ખસી જાઓ. દૂર જાએ, નહિ તે તમને પુછુ માર પડશે. શાંતિશિવે શિવભક્તોને દૂર ખસી જવા કહ્યું, પણ એ ખસ્યા નહિ એથી ક્રૂડ લઇ એમના ઉપર પ્રહાર કરવા ચાલુ કર્યો. શિવભક્તોની સખ્યા વધુ હતી, આના હાથમાંથી લાકડી ખૂ'ચવી લે, ખૂ'ચવી લેા, એમ બેાલતા શાંતિશિવને માથમાંથી પકડી લાકડી પડાવી લીધી. શિવભક્તોએ વિચાર કર્યો કે શાંતિશિવને ભૂત ભૂત વળગ્યું લાગે છે. કાં તે મગજ ખસી ગયું હશે. એવી કલ્પના કરી, સારી પેઠે માર માર્યાં. ચારને ખાંધે એ રીતે એને ખાંધી દેવામાં આવ્યા. શિવભક્તોએ સદાશિવના રજ્જુબંધના કાપી નાખ્યા અને એમની ચાગ્ય સેવા ચાકરી કરી. ઘણા ઉપચારાના પરિણામે એમનામાં સ્ફૂર્તિ આવી. પુણ્ય કઈક રોષ હશે તેથી જીવનને પામ્યા, માર એવા મૂઢ અને સખ્ત પડ્યો હતા કે બચવાની સભાવના જ ન હતી. આ તે શિવભક્તોએ શાંતિશિવને પૂછ્યું, ભલા માણુસ ! શું કરવા ધાર્યું' હતું ? ગુરૂદેવને યમદિરે મેાકલવા વિચાર કર્યાં હતા કે ?
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy