SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌતાચાય અને વેલહક કથા विषं गोष्ठी दरिद्रस्य जन्तोः पापरतिर्विषम् । विषं परे रता भार्या, विषं व्याधिरुपेक्षितः ॥ ૧૩ લક્ષ્મીથી અને ગુણથી જે દરિદ્રનારાયણ હોય એવા સાથે મિત્રતા ઝેર જેવી છે. પાપ પ્રતિ પ્રેમ કરવા એ હળાહળ ઝેર છે. પાતાની પત્ની પરપુરૂષના પ્રેમમાં પડી જાય તે એ તાળપુટ ઝેર છે અને વ્યાધિની ઉપેક્ષા કરવી એ શીઘ્ર ઘાતી ઝેર છે. પૂજ્યપાદ ! એટલે જ અમે આપને કહીએ છીએ કે આપ ઔષધ કરશે. બહેરાપણું મટાડા. “ ઉગતા શત્રુ અને વધતા વ્યાધિને તરત જ દાબી દેવામાં સાર છે. ” આપે બહેરાપણાની બેદરકારી કરવી ચૈગ્ય નથી. જલ્દી ઉપચારો ચાલુ કરી દેવા જોઇએ. મશ્કરા છે.કરાએની વાત સમજી લઇ સદાશિવને રાગ મટાડવાની તમન્ના જાગૃત ખની. એ મૂખ પૂજારીને આગ્રહ અંધાઇ ગયા કે કાઇ પણ ભાગે રાગ તા મટાડવા જ જોઇએ. રાગની ઉપેક્ષા ન જ કરાય, એટલે એણે પેાતાના શાંતિશિવ નામના શિષ્યને માલાન્ગેા. અરે શાંતિશિવ ! તું વૈદ્યરાજના ઘેર જા. વૈદ્યરાજને મારા મહેરાપણાના રોગને જણાવજે અને એના નાશ માટે જે દવા, અનુપાન અને પથ્ય જણાવે તે સમજી લેજે. પછી તું તરત આવજે. વિલંબ ના કરીશ. વલખ કરીશું તે વ્યાધિના પ્રકાપ વધી જશે અને પછી કાબુમાં લેવા ઘણા પરિશ્રમ કરવા પડશે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy