SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ અરિદમન અને ત્રીજાને પરિત્યાગ કર જોઈએ એમ જણાવ્યું છે. આપશ્રીના એકલા માટે આ ઉપદેશ નથી આપે. અરિદમન–જે સે આ રીતે ભાગવતી દીક્ષા સ્વીકારે તે આપણુ પરમ સૌભાગ્યની અને આનંદની વાત ગણાય. વિમલમતિ–અરે! જેમાં આત્મહિત થતું હોય, એ માર્ગ અપનાવવા કયે સુજ્ઞ ઉદ્યમશીલ ન બને? આ પ્રમાણે રાજા અને મંત્રીને વાર્તાલાપ સાંભળીને ભારેકમી આત્માઓમાં કંપારી છૂટી. અરે ! આ મંત્રી અમને જબરજસ્તીથી દીક્ષા અપાવી દેશે. આ તે આપણે માથે આપત્તિ આવી ગઈ. વિષય વાસનામાં આસક્ત હતા તેઓ થથરી ઉઠયા. મંત્રીએ આ બલા કાં ઉભી કરી. લાગ મળે ઘર ભેગા થવાને વિચાર કરવા લાગ્યા. - જે આત્માઓ લઘુકમી હતા, એમને રાજા-મંત્રીની વાતથી ઘણો આનંદ થયો. શાન્ત અને સમજુ પ્રાણુઓને આ વાત ગમી ગઈ. એ સૌએ રાજાને વિનંતી કરી કે, આપશ્રીની જે આજ્ઞા થશે એનું પાલન કરવા અમે તૈયાર છીએ. આવા પુણ્ય અવસરને લાભ કયે શાણે માનવી જતે કરે? આ સાંભળી રાજાને ઘણે જ આનંદ થયે. રાજા અને અન્ય મુમુક્ષ આત્માઓ ઉદ્યાનની સમીપમાં રહેલા “અમેદવર્ધન” નામના જિનમંદિરે ગયા. હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક સવિધિ સ્નાત્ર પૂજા કરી. અષ્ટપ્રકારી
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy