SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ ઉપમિતિ કથા સારોદ્ધાર આ સમાચાર શાર્દુલપુરના રાજવી શ્રી અરિદમનને મળતાં અત્યંત હર્ષમાં આવી ગયા, કેવળી ભગવંતને વંદન કરવા પિતાને પુત્રી મદન મંજુષા પિતાના અંતાપુર અને પિતાના મંત્રીમંડલ વિગેરે રાજકીય પરિવાર સાથે મલવિલય ઉદ્યાનમાં પધાર્યા. સભાભૂમિમાં આવતાં અગાઉ મુગટ, છત્ર, શસા, પગરખા અને ચામર આ રાજ્યચિહેને ત્યાગ કર્યો. ગુરૂ ભગવંતની સમીપમાં જઈ વંદના કરી. અન્ય મુનિભગવંતેને પણ વિધિવત વંદના કરી. ગુરૂભગવંતના ગુણેની નિર્મળ અંતકરણ પૂર્વક સ્તુતિ કરી, શુદ્ધ ભૂમિ જે ઈદેશના સાંભળવા બેઠા. અન્ય જનસમુદાય પણ ત્યાં દેશના શ્રવણ કરવા બેસી ગયે. શ્રી વિવેક કેવળી ભગવતે મેહ તિમિરને નાશ કરનારી દેશના આપી. દેશના સાંભણી ઘણું ભાવિકેના હૃદય નિર્મળ બન્યા. આવરણે કેટલાય દૂર થઈ ગયા. કેઈએ ભવતારણ પ્રવજ્યા સ્વીકારી, તે કેઈએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો સમ્યકત્વ અને માર્ગાનુસારીતા ગુણને કેટલાય પામ્યા. ૧ ત્યાગી પુરૂષો પાસે જતાં અગાઉ રાજ્યસત્તા અને પિતાની મહત્તા દર્શાવતી વસ્તુઓને રાજાએ ત્યાગ કરવાને હોય છે. આર્યદેશોમાં ત્યાગી પુરૂષોની મહત્તા કેટલી છે. અને એમના પ્રતિ કેવો આદર હોય છે એ આ રાજ્યચિન્હોના ત્યાગ કરવાની સુરીતિથી આપણને ખ્યાલ આવે છે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy