SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેરમું મહારાજ અરિદમન મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી મલવિલય ઉદ્યાનમાં શીતળ અને શુદ્ધ પવન વાતે હતે. નિયવૈર ધરનારા પ્રાણીઓના વૈર શાન્ત થઈ જતા હતાં. વનલક્ષમી ચારે બાજુ ખીલી રહી હતી. છએ તુ એએ પિતાને પ્રભાવ બતાવવા પત્ર, પુષ્પ, ફલ વિગેરેના રૂપમાં ત્યાં વિદ્યમાનતા નેંધાવી. પંછીઓના સમુહુ આનંદિત થઈ કલકલ અવાજ કરતાં હતાં. ભમરાઓના વંદે સંગીતના સૂરની જેમ મધુર ગણગણાટ ચાલુ કર્યો. મેર ટહુકયાં અને કેયલ ટહુકી. સૌના હૃદયમાં આનંદ અને ઉમંગ જણાતા હતા. મારા હૃદયમાં શાંતિનું સ્થાન ન હતું, છતાં અહીં શાંતિ થતી જણાઈ આકાશમાર્ગે દેવતાઓ આવ્યા. એમણે ઉદ્યાન ભૂમિને સ્વચ્છ બનાવી, રજકણે ન ઉડે એટલા માટે જળ છંટકાવ કર્યો. એ તરફ પુષ્પવર્ષા કરવામાં આવી. ઉદ્યાનના મધ્યભાગમાં વિશિષ્ટ રચનાવાળું સુવર્ણ કમળ બનાવવામાં આવ્યું. કઈ મહાપુરૂષ એ સુવર્ણ કમળ ઉપર બેસી દેશના આપે એવી
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy