SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિની વક્રતા ૩૯૭ અને સ્વષ્ટિ ભેાજન કરાવ્યું. શ્રી વિભાકર મહારાજાએ જ સ્નેહપૂર્વક પેાતાના જ હસ્તથી તાંબૂલ ખાવા માટે આપ્યું. અમે સૌ આરામગૃહમાં ગયા અને ત્યાં વિરામ આસન ઉપર આરામ લેવા બેઠાં એ વખતે મતિશેખર મંત્રીએ મને પૂછ્યું. કુમારશ્રી ! શુભનામધેય મહારાજાધિરાજ શ્રી પ્રભાકર નરેશ્વર સ્વર્ગગામી થયા એ વાત આપશ્રીએ જાણી હશે? મંત્રીશ્વરે મહારાજા પ્રભાકરના સ્વગમનની વાત કરી પણ એ વખતે હું “પ્રભાકરના પુત્ર વિભાકરને કેમ મારી નાખવા” એ ચિંતામાં મનથી કાએલા હતા. મારૂ મન મંત્રીની વાત તરફ ધ્યાન આપતું ન હતું, છતાં મેં માથુ હલાવી એ વાતને સંમતિ આપી. મહારાજાના સ્વર્ગગમનના સમાચારે મને મળ્યા છે, એ દેખાડવાના મે’ ડોળ કર્યા. પિતાજીના મૃત્યુ સંબંધી વાતથી વિભાકરના નયનામાંથી આંસુ સરી પડયાં. રડતાં ચહેરે મને જણાવ્યુ, હું બન્ધુ ! પિતાજી પલેાકવાસી થયા છે, એટલે પિતાજીનું સ્થાન આપે લેવું જોઈએ. આ અમે, અમારૂં રાજ્ય, અમારૂં નગર આ બધુ આપને આધીન કરીએ છીએ. આપ અમારા અને રાજયના સ્વામી થાએ, અમે આપના સેવક થઈને કાય કરીશુ. આપની ઈચ્છા મુજબ અપ રહેા. મારામાં હિંસા અને વૈશ્વાનરના પ્રભાવ જોર શેારથી
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy