SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય પતાકા ૩૦૭ ઉત્તર મળ્યા કે રાજ જાય છે. હિ સાદેવી સાથે કુમારશ્રીના લગ્ન થયાં ત્યારથી રાજના એ કાર્યક્રમ બની ગયા છે. જ્યાં સુધી શિકાર ન કરે, ત્યાં સુધી એમનુ. મન બેચેન રહે છે. શિકાર પછીજ કુમારમાં સ્મૃતિ અને પ્રસન્નતા દેખાય છે. હે દેવ ! આ સાંભળી મને ભારે આઘાત થયા. મને વિચાર આવ્યા કે વિધાતાએ અમને જબરો ફટકો માર્યાં છે. એક પછી એક કુમારશ્રીને કુસંસગ થાય છે. અને અમને ફૅટકા ઉપર ફટકા પડે છે. પહેલાં દુષ્ટ વૈશ્વાનર એક અપલખણા મિત્ર હતા અને તે આજે પણ છે જ. એમાં અધૂરામાં પૂરૂં મહાપાપિણી સાંપણુ જેવી હિંસા કયાંથી આવી ટપકી અને કુમારશ્રીની પ્રિયતમા બની ગઈ? એ પ્રિયમિત્ર પ્રિયતમાએજ કુમારશ્રીના જીવનને બરબાદ કરી નાખ્યુ છે. હવે અમારે શું કરવું ? આ વિષયની ચિંતામાંજ મારી ? આજના આખા દિવસ પસાર થયા છે. આપશ્રીએ કુમારને નથી જોયા એમાં પણ મને લાગે કે શિકાર કરવા ગયા હશે અને મારી જેમ આપશ્રીને પણ ન મળ્યા હાય. આ સાંભળી પિતાજીને કારમેા આઘાત થયેા. એમનું મન નિરાશ અને ઉદ્વિગ્ન અની ગયું. વિદુરને કહ્યું. આય વિદુર ! શિકાર કરવાના શેાખને મહાપાપ ગણવામાં આવે છે. અમારા વશમાં પૂર્વે થઈ ગએલ રાજાઓએ કદી પણુ શિકાર કર્યાં નથી. શિકારના અવગુણથી આપણાં વશજોની કીર્તિને
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy