SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ ઉપમિતિ કથા સારદ્વાર મારો સાધમ પ્રત્યેનો પ્રેમ એ એક કપટ છે અને ટો છે આવું કહેવા દ્વારા આપે આપના “દુર્મુખ” નામને સાર્થક બનાવ્યું છે. આ જાતને મારા સ્પષ્ટ અને દઢ શબ્દો સાંભળી, મનના ભાવે સમજી લઈ દુખે વિચાર કર્યો કે કુમારને જિનશાસન ઉપર રાગ અત્યંત ગાઢ છે, એ ચલિત બને તે સંભવિત નથી. તેમજ કુમારને છે છેડવામાં પણ મજા નથી. આ વિષયમાં રાજાશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરી લીધી છે એટલે અવસરે જે ઉચિત જણાશે તે કરીશું, પણ હાલમાં કુમારને કપ ચડે છે. એને શાંત કરૂં. ઉતાવળે આંબા ન પાકે. આ વિચાર કરી મારા પ્રતિ બેલ્ય. હે કુમારશ્રી! મેંતે આપના હદયની પરીક્ષા માટે જ વાત પૂછેલી, એ માટે બીજે કઈ વિકલ્પ આપે મનમાં કરવાને જ નથી. આપને જિનશાસન ઉપરને રાગ અને સાધમી બંધુઓનું અપ્રતિમ વાત્સલ્ય જોઈ હું ખૂબ પ્રસન્ન થયે છું. પરીક્ષા માટે કહેલા મારા કઠોર વચને મનમાં લાવશે નહિ. આ પ્રમાણે જણાવી મારી રજા લઈ રવાના થયે. એના ગયા બાદ મને વિચારે આવ્યા કે, આ દુર્મુખ પાપી આત્મા છે. શઠશેખર અને ધૂર્તસમ્રાટ છે. પહેલાં અતિગંભિરતા અને ઉંડી વિચારણા પૂર્વક મને વાત જણાવી પણ મારા ઉત્તર સાંભળી વાતે ટાળવા પ્રયત્ન કર્યો.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy