SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ મનીષકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ હે ગુરૂદેવ ! આપશ્રીએ પહેલાં ભાગવતી દીક્ષાનું વર્ણન કરેલું અને એમાં જણાવેલું કે ભાગવતી દીક્ષા દ્વારા વીલ્લાસ વધે છે અને એ દ્વારા સ્પર્શનને નાશ થાય છે. પરંતુ હાલમાં આપશ્રીએ “અપ્રમાદ ” યંત્રનું વર્ણન કર્યું અને એ દ્વારા અંતરંગ શત્રુઓનું ઉન્મેલન કરી શકાય છે, એમ જણાવ્યું તે ભાગવતી દીક્ષા અને અપ્રમાદયંત્ર આ બેમાં કાંઈ અંતર છે ? એ બેમાં શું ભિન્નતા છે? આચાર્ય શ્રી- શબ્દમાત્રને ફરક છે. કાર્ય બંનેના એક છે. - મનીષી– હે ભગવન ! “ મારા ઉપર કૃપા કરે” આપશ્રીને મારામાં જે યેગ્યતા જણાતી હોય તે સંસારરૂપ વિષધરના કાળવિષ ઝેરના નાશ માટે અત્યંત સમર્થ જાંગુલી મંત્ર સમાન ભાગવતી દીક્ષા મને આપે. આચાર્યશ્રી– ભદ્ર! તારામાં સારી ગ્યતા છે. અમે તને આનંદપૂર્વક દીક્ષા આપીશું. ઢીલ કરવી ઉચિત નથી. - શત્રમર્દન–ડે વિભે ! મહાસત્વશીલ આ મહાનુભાવ કોણ છે ? મેં અનેક મહાયુદ્ધો ખેડયાં, અનેક સાહસ કર્યા, ઘણુ પરાક્રમ દેખાડી યશકીતિ ફેલાવી, છતાં ભાગવતી દીક્ષા કે અપ્રમાદ યંત્ર વહન કરવા હું તૈયાર થઈ શક્ય નહિ, ત્યારે આ ભાગ્યવાન અલ્પસમયમાં અપ્રમાદ– યંત્ર વહન કરવા ઉદ્યમશીલ થઈ ગયા. એ મહાપુરૂષ કેણ છે?
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy