SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ = બાળની વિડંબના ૧૧૯ ગુપ્ત વાસભુવનમાં કામદેવ અને રતિદેવી અધિષ્ઠિત શય્યાની પૂજા માટે આવ્યાં. વાસભુવનના અત્યંતર ભાગમાં પ્રકાશ મંદ હતો. એટલે કામદેવની ભ્રમણથી શય્યામાં સુતેલા બાળને સ્પર્શ કર્યો. ચંદન વિગેરે અર્ચનીય પદાર્થોથી વિલેપનાદિ કર્યા. અંતમાં હાથ જોડી નમસ્કાર કરી પિતાના મહેલે પાછી વળી. સ્પર્શ પછી બાળની મનોદશા મહારાણી મદનકંદલીને કમળ કર સ્પર્શ પછી વિકાર વાસનાને આધીન બનેલ બાળ વિચારે છે કે જગતમાં આ સ્ત્રી જે કેમળ સ્પર્શ કઈ નહિ હોય. મેં હજુ આવા સ્પર્શ સુખનો અનુભવ કર્યો નથી. જીવનમાં આવા સ્પર્શ સુખને અનુભવ ન કરવામાં આવે તે જીવન નિરર્થક છે. મદનકંદલીના વિચારમાં પિતાની જાતને ભૂલી ગયે. આ દેવશય્યા છે, મંદિર છે એ પણ ખ્યાલ એને ન રહ્યો. એ તે માત્ર વિચારે છે કે મદનકંદલી કેવી રીતે પામી, શકું? એને મેળવવાના ઉપાયો કયા? આ જાતને વિચારેના તરંગે ચઢેલે બાળ પાણી વિના માછલું તરફડે તેમ દેવશય્યામાં તરફડે છે. મધ્યમબુદ્ધિને થયું કે હજુ બાળ બહાર કેમ ન આવ્યું? અંદર જઈને જોઉં તે ખ. અંદર જઈ જોયું તે બાળ દેવશય્યામાં આળોટતે હતે. વિવેકી મધ્યમબુદ્ધિ વિચારમાં પડે. અરે ! આ દુષ્ટબુદ્ધિ બાળે શું કર્યું? આવું અકાર્ય કરાય? દેવશય્યામાં સુવાય ?
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy