SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ = = = નંદિવર્ધન લાભદાયી ગણાય. નિષ્ફળ થતી શિખામણ પણ ન આપવી જોઈએ. કલાચાય—હે રાજન ! વેદકે જે જણાવ્યું તે બરાબર છે. કુમારના હિત માટે અમે સદા ઉધમશીલ છીએ.અવસરે ધ આપવા પણ અમે ઘટતું કરીએ છીએ. પરંતુ અનર્થ થશે એમ માનીને જ અમે સૌ કુમારને કાંઈ પણ કહી શકતા નથી. | હે રાજન ! આવી પરિસ્થિતિમાં કુમારને કુસંસર્ગથી છેડાવ એ આપણે બધાં માટે શક્ય નથી. એમ મારૂં માનવું છે. પદ્મરાજા–ત્યારે હવે શું ઉપાય લે ? કળાચાર્ય–અમારી પણ એજ મુંઝવણ છે. ઉપાય શે જાતે નથી. અમારી જાણમાં દેખાતું નથી. વિદુર-હે દેવ ! મેં એમ સાંભળ્યું છે કે ભૂતભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળના પદાર્થોના ભાવેને જાણનારા શ્રી જિનમત” નામના અતિ સુપ્રસિદ્ધ “નિમિત્ત આજ કાલમાં આપણા નગરમાં આવેલાં છે. એ સિદ્ધપુત્ર ગણાય છે. ત્રણે કાળના જ્ઞાતા એ શ્રી જિનમતજ્ઞ આ ઉપાય જરૂર જાણતા હશે. તે આપણે એમને બોલાવીએ અને આ સંબંધમાં પૂછીએ. હર્ષિત બનેલા પદ્મરાજા કહે છે, હે વિદુર ! તું જા અને એ નિમિત્તજ્ઞને વિનયપૂર્વક બોલાવી લાવ. વિદુર-“જેવી આપશ્રીની આજ્ઞા”
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy