SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉપમિતિ કથા સારોદ્ધાર માનતું ન હતું. છતાં માત-પિતાઓના સ્નેહાળ હૃદયને દુઃખ ન થાય એટલા ખાતર મારા તેફાને અને ત્રાસને સહન કરવા પૂર્વક પિતાને અભ્યાસ કરતાં. એ શાણા કુમારે કળાચાર્ય પાસે મારા સંબંધી કઈ પણ ફરીયાદ કરતા ન હતાં કારણ કે એ રાજપુત્રો સમજતા હતાં કે જે અમે કળાચાર્ય પાસે નંદિવર્ધનની ફરીયાદ કરીશું તે અમારે નવી ઉપાધીમાં અટવાવું પડશે. અને અમારા માત-પિતાઓને દુઃખ થશે. જો કે કોઈ પણ વિદ્યાથીએ મારી ફરીયાદ કલાચાર્યને કરતાં ન હતાં છતાં પણ બુદ્ધિનિધાન કલાચાર્ય રાતદિન સાથે રહેતાં હોવાના કારણે મારા આ પરાક્રમથી જરા પણ અજાણ ન હતાં. કળાચાર્ય અને અગ્ય વિદ્યાર્થી તરીકે ગણતાં હતા, અગ્યને હિતશિક્ષા આપવાથી કંઈ લાભ થતું નથી એમ માની મને હિતના બે શબ્દ પણ કહેતાં ન હતાં. “કુસં ા ાતિ પન્ના, “સુતેલા સર્ષને કેણ જગાડે ?” મને અગ્ય જાણી કળાચાર્ય કદી પણ કાંઈ કહેતા ન હતા. કળાચાર્ય બીજા વિદ્યાર્થીના નામે મને ઠપકે કે હિતશિક્ષા આપે તે હું એમને સારી રીતે માર્યા વિના ન જ રહે. કળાચાર્યને મારવા, તાડના–તર્જના કરવી કે સામું બોલવું વિગેરે અસભ્ય વર્તન કરવામાં મને સંકેચ ન હતે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy