SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્રમાં પણ આની ઘણું છાયા દેખાય છે. શ્રીયુત મોતીલાલ ગીરધરચંદ કાપડીયાએ ઉપમિતિ ગ્રંથ ઉપર સુંદર અને સરલ વર્ણન કર્યું છે. જેતરમાં શ્રી હર્મન જેકેબી અને પીટરસન જેવા પાશ્ચાત્યોએ આ ગ્રંથની મુકત કંઠે પ્રશંસા કરી છે, એ વિદ્વાનો પણ આ રચના માટે મસ્તક નમાવે છે. આજના યુગમાં જીવન જીવી રહેશે અને ભરપૂર ઉપાધિમાં અટવાઈ ગયેલો માનવ એ મહાગ્રંથને સ્વતઃ વાંચે એ શક્ય નથી. કદાચ વાંચવા જાય તે એને રસ ન આવે, કાં સમજાય નહિ. એટલા ખાતર “ઉપમિતિ ભવ પ્રપંચ કથા સારોદ્ધાર” ઉપર ગુજરાતી અવતરણું લખાવવાની ભાવના થઈ એ અવતરણું કરવું મારે માટે અશક્યપ્રાય હતું. - એ કાર્ય કેને સેંપવું ? આમાં ઘણો સમય ગયો. સંવત ૨૦૨૦ નું ચાતુર્માસ અમારૂં સિદ્ધક્ષેત્રની છત્રછાયામાં થયું. ત્યાં એ -વષે શાસનરાગી શાન્તભૂતિ ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મહારાજ પણ ચાતુર્માસ હતા. એમના શિષ્ય મુનિ શ્રી ક્ષમાસાગરજી મહારાજને મેં આ કાર્ય કરવા જણાવ્યું. એમણે જીવનમાં વિશિષ્ટ લેખનકાર્ય કરેલ નહિ એટલે કાર્ય સ્વીકાર માટે સંકોચ અનુભવતા હતા. છતાં મારી લાગણી એમણે સ્વીકારી અને અવતરણુ લખવાનું કાર્ય ચાલુ કર્યું. અવતરણ શાસ્ત્ર રહસ્ય ઉપાધ્યાયજી શ્રી કૈલાસસાગરજી મહારાજે વાંચ્યું અને યોગ્ય પણ લાગ્યું એટલે છપાવવાનો નિર્ણય કર્યો છે કે ધાર્યા કરતાં અવતરણનું કદ મોટું થયું પણ સરસ હોવાથી તેમજ સંક્ષેપ કરવામાં પાછો ઘણો સમય આપવો પડે અને એમ કરવા આ
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy