SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ २० શ્રી નવિસૂત્રનાં પ્રવચને આનંદ થશે, માટે અમને પણ એનું સ્વરૂપ કહે તે ખરાં. ત્યારે કહે છે કે – जयति जगदेकमङ्गल-मपहतनिःशेषदुरितघनतिमिरम् । रविबिम्बमिव यथास्थित-वस्तुविकाशं जिनेशवचः ।। જિનેશ્વર મહારાજાનું વચન કહો, પ્રવચન કહે, શાસન કહો કે આગમ કહે, બધું એક જ છે. તે જયવંતું વતે છે અને તેને હું નમસ્કાર કરું છું, કે જેથી મારું કાર્ય સફળ થાય. એ વચન કેવું છે? તે કહે છે કે જગતમાં મહાન મંગલકારી પ્રભુ મહારાજાનું વચન છે. મંગળ તો ઘણાં છે, પણ આ પ્રભુ-વચનરૂપ મંગળ અદ્વિતીય છે, એકાંતિક અને આત્યંતિક છે. એમાં કોઈ દિવસ અવમંગળ હોય જ નહિ. લૌકિક મંગળ દહીં છે, પણ તે એકાંતે નહિ. તે અમંગળ પણ થાય. તે ખાવાથી અજીર્ણાદિ થાય તે શરીર પણ બગાડે છે. પણ ભગવાનનું વચન તે એકાંતિક મંગળ છે, અને એ વચન આત્યંતિક મંગળ છે. અત્યંતરૂપે-કયારેય એનું મંગળપણું ન હોય એમ નથી. દહીં વગેરે બીજાં મંગળ તે અમુક સમય માટે જ છે. પણ આ તે સદાને માટે આત્યંતિક-મંગળ છે. આવું મંગળસ્વરૂપ પ્રભુ મહારાજાનું વચન જયવંતુ વર્તો. આ વચન કેવું છે? “પતન રોષતુરિત નતિમિર વિવિ,'-આમાં એને શેની ઉપમા આપી છે? સૂર્યના બિંબની ઉપમા એને આપી છે. જાણે સૂર્યનું બિંબ ન હોય, એવું આ ભગવાનનું વચન છે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy