SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચયમાં આવનાર સોકેાઈ જાણે છે કે આચાય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજને પેાતાના આ પ્રશિષ્ય ઉપર કેટલાં હેત અને વિશ્વાસ હતાં! અરે, આટલું જ શા માટે, આચાય શ્રી વિજયનંદનસૂરિજીએ તો પાતાના મહાન પ્રતાપી દાદાગુરુશ્રીનુ વડાવજીર તરીકેનું માટું જવાબદાવાળું પદ મેળવી અને શેાભાવી જાણ્યું હતુ—નંદન તો જાણે પાતાના દાદાગુરુશ્રીના રામરામમાં વસી ગયા હતા! પેાતાની નિઃસ્વાર્થ અને નિર્મળ ભકિત અને ગુરુવયની અસીમ કૃપાનું જ આ સુપરિણામ છે. અને એનાં મીઠાં ફળ જૈન શાસનને ઉત્તરાત્તર વધુ ને વધુ પ્રમાણમાં મળતાં રહ્યાં છે. ઉંમરના વધવા સાથે કાયાની શકિત ઘટતી રહે એ તો સ્વાભાવિક છે; પણ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની શાસનદાઝ, કાર્યસૂઝ અને વ્યવસ્થાકિતને ઉંમરના ઘસારા પહોંચ્યા નથી એની સાક્ષી, એમની આસપાસ મધપૂડાની જેમ ગુંજતી અનેક પ્રવૃત્તિએ આપે છે. ધીર-ગ`ભીર છતાં પ્રસન્ન એમની પ્રકૃતિ છે. એમણે કાઢી આપેલાં ધર્મકાર્યાના મુહુર્ત એમના અંતરમાં રહેતી કલ્યાણબુદ્ધિ અને શુભ નિષ્ઠાથી વિશેષ ૪૦
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy