SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અાવા છે. સાચી એક માયા રે જિન અણગારની ૨૦૧ સાચી એક માયા રે, જિન અણગારની, કૂડી છે માયા રે, આ સંસારની, કાચની કાયા રે, છે વટછારની.” આ કાયા ગમે એટલી સુંદર છે, પણ છેવટ તે એ ૨ખ્યા જ થવાની છે. અને આ સંસારની માયા ખાટી છે. સાચી માયા તે એક જિનેશ્વરની છે. એમની માયા ને પ્રેમ એ જ સાચાં છે. અને મુનિમહારાજાજે અણગાર છે એની જ ખરેખરી માયા છે. જ્યારે અમરેંદ્રને ઉત્પાત થાય છે, ત્યારે એ કેનું શરણું લે છે? એક તીર્થંકર મહારાજાનું ને બીજું મુનિનું શરણું લે છે, ત્યારે એ ઉપર જઈ શકે છે. એ સિવાય ન જઈ શકે. દરેક દેવતા પિતાના વિમાનની ધ્વજા સુધી જ ઉપર જઈ શકે. પણ આને તે અસંખ્ય જન ઉપર જવું છે. ત્યાં એ મુનિભગવંતનું શરણ લઈને જ જાય છે. ત્યારે અશરણ એવાં આ જગતમાં મુનિ મહારાજે તે શરણ છે. ગોશાળાને એવાં શરણરૂપ મુનિ ઉપર દ્વેષ હતે. પણ યાદ રાખજે કે “સાધુષાત ઢક્ષર કેઈપણ પ્રકારના મુનિ ઉપર તું શ્રેષ રાખીશ તે નીતિમાં કીધું છે કે તારાં કુલને ક્ષય થશે.” પણ આ વિચાર ગોશાલાને કયાંથી આવે? ત્યાં સુમંગળમુનિ કાઉસગ્નમાં રહ્યાં છે. કેણ આવે છે, કેણ જાય છે, જગમાં શું થાય છે? એની એમને ખબર નથી. એ તે પિતાના દયાનમાં ઊભાં છે. તે વખતે
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy