SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મિથિલ. કળે એમાં મારે શું? છે. પણ આ મોક્ષનું સુખ એવું છે કે જે મળ્યાં પછી જતું નથી રહેતું, અને મળ્યા પછી કઈ જાતની આશા, તૃષ્ણ ને પૃહા પણ નથી થતી. એ માટે જ એ મેક્ષ સુખ મેળવવાની જીવને અભિલાષા થાય છે. - નમિરાજાને છ મહિનાથી દાહજવર થયેલ છે. વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યાં છે. ત્યાં એની રાણુઓ ચન્દન ઘસે છે. તે વખતે થતાં કંકણુના અવાજ નથી ગમતાં. એના શબદથી પણ એમને ઘણે ત્રાસ થાય છે. એટલે રાણુઓ એક સિવાયના બધાં કંકણ કાઢી નાખે છે. ત્યારે રાજા પૂછે છેઃ અત્યાર સુધી અવાજ આવતું હતું ને હવે કેમ નથી આવતે? રાણીઓ કહે છેઃ આપને દુઃખ થતું હતું, માટે અમે એક એક કંકણ કાઢી નાંખ્યું છે. એક રાખ્યું છે. આ સાંભળીને એમના પૂર્વના સંસ્કાર–પૂર્વના યોગ જાગૃત થાય છેઃ “સંગ જ દુઃખનું મૂળ છે. બે કંકણ ભેગાં થતાં હતાં, તેથી આ દુઃખ મને થતું હતું. ઘણાં ભેગાં થાય ત્યાં દુઃખ થાય જ. આ વિચાર આવતાં જ તેમને વૈરાગ્ય થાય છે. રાત્રે તેઓ ભાવના ભાવે છે કે ‘મને જે ઠીક થાય તે તરત પ્રવજયા લઈ લઉં.” એ વિચારમાં એમને રાત્રે ઊંઘ આવી ગઈ. રાત્રે–પઢિયાના સમયે–એમને એક હાથીનું સ્વપ્ન આવે છે. “એ હાથી પર હું બેઠે છું, ને એના પર બેસીને હું મંદર–મેરુપર્વત પર ચડી ગયે.”—એવું તેઓ જુએ છે. એ જ વખતે બંદિએને ઘેષ–વાજિંત્ર ઘોષ-થ, તેથી તેઓ જાગી જાય છે. તે વખતે એમને થાય છે કેમેં આ મેરુપર્વત કયાંક જ છે. એ ઊહાપોહ કરતાં
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy