SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૬ ) સુભાષિત-પદ્ય—રત્નાકર. છે, લાલરૂપી સમુદ્રને વધારે છે, મર્યાદારૂપી કિનારાને ભાંગી નાંખે છે, શુભ મનરૂપી હંસને પ્રવાસ આપે છે–કાઢી મૂકે છે. ( ટુંકમાં કહીએ તે ) પરિગ્રહ શું શું ક્લેશને નથી કરતા ? ૧૪. द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधि र्व्याक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः, प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ॥ १५ ॥ सुत्रकृतांगसूत्र ( आगमोदय स० ) पृ० १३ ડાહ્યા ( સમજી ) માણસને પણ પરિગ્રહ એ ગ્રહની માફક ફ્લેશ અને નાશને માટે થાય છે. ( કારણ કે એ પરિગ્રહ) દ્વેષના સ્થાન સમાન છે; ધીરજના ક્ષય સમાન છે; ક્ષમાને વિધી છે; વ્યાક્ષેપના મિત્ર સમાન છે; અહંકારના રહેઠાણુ સમાન છે; ધ્યાનના પાકા દુશ્મન છે; દુ:ખનું કારણ છે; સુખના નાશ કરનાર છે; અને પાપના વાસસ્થાન સમાન છે. ( અર્થાત્ પરિગ્રહવાળાને આ બધું સહન કરવું પડે છે ) ૧૫. परिग्रहं चेद्व्यजंहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेर्गरोऽपि नामांतरतोपि हंता ॥ १६ ॥ अध्यात्मकल्पद्रुम त्रयोदशमोऽधिकार, लो०, २४. ' ઘર વિગેરે પરિગ્રહને તે તજી દીધા છે, તેા પછી ધર્મના ઉપકરણને બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વિગેરેનો પણ પરિગ્રહ શામાટે કરે છે? ઝેરને નામાંતર કર્યાથી પણ તે મારે છે. ૧૬
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy