SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અચૌર્યવ્રત વિશદાર્થ : ૧૨૫ અદત્ત=નહીં આપેલું-તેનું-આદાન=ગ્રહણ તે અદત્તાદાન. તેનો ત્યાગ તે-અદત્તાદાન વિરમણ વ્રત, તેના પ્રકાર ચાર છે. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત ને ગુરુ અદત્ત. એમ ચારે પ્રકારનું અદત્ત ન ગ્રહણ કરવું તે મહાવ્રત કહેવાય. રાજા દંડે ને લોક નિંદે એવી ચોરી ન કરવી તે અણુવ્રત. ચોરી કરવી એ તો સામાન્ય રીતે પણ માનવ જીવનનું દૂષણ છે. પારકી વસ્તુ ઉપર આપણો શો અધિકાર ? બીજા કોઈની કોઈપણ વસ્તુ તેને પૂછ્યા વગર કેમ લેવાય ! આપણી પણ વસ્તુ આપણને પૂછ્યા વગર કોઈ લે તો આપણને કેવું લાગે છે ? ચોરી એ બહુ બૂરી ચીજ છે. ચોરીથી આ ભવમાં વધ, બંધન વગેરે ને પરભવમાં દુર્ગતિ મળે છે. ચોરેલું ધન કદીયે ટકતું નથી. તેની લત લાગે તો છૂટવી ભારે પડે છે ને જે જીવનમાંથી ચોરીને દૂર કરે છે તેને કદી કોઈથી ડરવાનું રહેતું નથી. અત્રે પ્રાસંગિક અદત્તાદન વિરમણ મહાવ્રતના ચાર પ્રકારનું સ્વરૂપ સમજવા જેવું છે. ચાર પ્રકારના અદત્તમાં પહેલું સ્વામીઅદત્ત. પોતાના માલિકની વસ્તુને પૂછ્યા વગર, તેના આપ્યા વગર ગ્રહણ કરવી તે. સુવર્ણ-ધન-ધાન્ય વગેરે લોકમાં જેને ચોરી કહેવાય તે. જીવ-અદત્ત સચિત્ત-વનસ્પતિ-ફળ, ફૂલ, અનાજ વગેરે ગ્રહણ કરવું તે. કારણ કે વનસ્પતિમાં પણ જીવ છે. તે જીવને પૂછ્યા વગર કે તેના આપ્યા વગર તમે ગ્રહણ કરો એ જીવ-અદત્ત કહેવાય. નિર્ગન્ધ મુનિવરો અચિત્તનો જ ઉપયોગ કરે છે. જેમાંથી જીવ ચાલ્યો ગયો હોય તેવા પાસુક અન્ન પાન વગેરેને ગ્રહણ કરે છે. તેની પાછળ આ સૂક્ષ્મ હેતુ રહેલો છે. આર્યાવર્તનો બીજો કોઈ ધર્મ આટલો ઊંડો ને સૂક્ષ્મ નથી. તીર્થંકર પરમાત્માની આજ્ઞા
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy