SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, એક દુષ્કતગહ અને બે, પાપનો અકરણ નિયમ મને અત્યંત માન્ય છે તેથી આ બંને બાબતમાં હું બે મહાન તત્ત્વોનું સતત અનુશાસન ઈચ્છું છું. (૧) ભગવત્ સ્વરૂપને પામેલાં શ્રી અરિહંતોનું (૨) કલ્યાણમિત્ર સમાન શ્રી ગુરુભગવંતોનું... • ચાર પ્રાર્થના : દુષ્કૃત ગહ અને દુષ્કૃત અકરણ માટે દેવ અને ગુરુનું અનુશાસન જોઈએ. તે માંગ્યા પછી તે અનુશાસનની પ્રાપ્તિ માટે જરૂરી ચાર પ્રાર્થનાઓ અહીં માંગી રહ્યાં છે - (૧) શ્રી અરિહંત ભગવંતો અને કલ્યાણમિત્ર એવા ગુરુદેવો સાથે મારો હંમેશા ઉચિત સંબંધ થાઓ ! તેઓ શરણદાતા બને અને મારો આત્મા તેમના શરણનો આશ્રય કરનાર બને તે અહીં ઉચિત સંબંધ (સંયોગ) છે તે સમજવું રહ્યું ! (૨) શ્રી અરિહંત ભગવંતો તથા કલ્યાણમિત્ર એવા ગુરુદેવો સાથેનો ઉચિત સંબંધ મને મળો એવી અભ્યર્થના = ઈચ્છા = તલપ હંમેશાં મારા હૃદયમાં રહો. (૩) શ્રી અરિહંતો અને ગુરુદેવો પ્રત્યે મારા હૈયામાં સતત બહુમાન ભાવ વહેતો રહો ! (૪) તેઓ ઉભય પ્રત્યેનો મારો આ બહુમાન ભાવ મારા મોક્ષનું બીજ બનો ! કેમકે દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ સ્તો મોક્ષબીજ તરીકે જિનેશ્વરને માન્ય છે ને ! 35 प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy