SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં-૧૩ અષાડ વદ ૧૧ બુધવાર તા. ૨૯-૭-૭૦ સૂત્રકાર ભગવાન શું ફરમાવે છે? હે ભવ્ય છે! અનાદિ કાળથી જીવને સંસારવિષયનું વિષ ચઢયું છે. સ્વઘર તરફ-સ્વ લક્ષ તરફ જીવે થેડી પણ મીટ માંડી નથી. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે “અહા ય રા ય પરિતમ્પમાણે” આ જીવ રાત્રી દિવસ પરિતાપ પામે છે. અજ્ઞાની માણસ પિદુગલિક સુખ મેળવવા પ્રયત્ન કરે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના પ્રાણીઓ સુખના અભિલાષી છે, પણ સુખ કેને કહેવાય તેની સમજણ નથી. બાળક પાણીમાં હેડી તરવે કે રેતીના મહેલ બનાવી રમત કરે પરંતુ રમત પૂરી થતાં હેડી અને મહેલ ફેંકીને ચાલ્યા જાય છે, પરંતુ તમે અનાદિ કાળથી જે રમત માંડીને બેઠા છે તેને અંત કેમ નથી આવત? તમે વૃદ્ધાવસ્થાને અટકાવવા માંગતા હશે તે તે નહિ બને. બારણું બંધ કરશે તે પણ તેને સમય થતાં તે આવશે જ. અશક્તિ વધતાં બદામનાં તેલ પી બલિષ્ઠ પદાર્થ ખાઓ છે, ધળા થઈ જતાં વાળને કાળા કરવા કરામત કરે છે, દાંત પડી જતાં ચેગઠાની આળ પંપાળમાં પડી જાય છે અને ઘડપણ રેવા કકળાટ કરો છો, પરંતુ તે તે આવવાનું જ છે. બધી ઉપાધિઓ પણ છેડવાની જ છે. તે જ્ઞાન ચક્ષુ ખેલે અને દષ્ટિને ઊંડી ઉતારે. સંતે ઉપવાસ કરવાનું કહે છે ત્યારે નથી કરી શકતા, પણ માંદા પડી ગમે તેટલી લાંઘણે ખેંચે છે. દેવાનુપ્રિયે ! ઉપવાસ ન કરે તે ખાવાના દ્રવ્યની મર્યાદા કરે. આજે તે ચટણી સંભારના મોટા મોટા થાળ ભરે છે, પણ તે બધું નથી ખાઈ શકવાના, પરંતુ મર્યાદા કરવાનું મન નથી થતું. જીભના બધા રસ ચાખે છે પણ નથી ચાખે ફક્ત આત્માને રસ. જ્ઞાનીએ નવ પ્રકારના રસ બતાવ્યા છે. શૃંગાર રસ, વીરરસ, કરૂણરસ, હાસ્યરસ, રૌદ્રરસ, ભયાનકરસ, બિભત્સરસ, અદભૂત રસ અને શાંતરસ-આ નવ રસમાંથી શાંતરસ ધારણ કરવા ગ્ય છે. ભકતામર તેત્રમાં માનતુંગ આચાર્ય ભગવાન કહે છે કે વૈઃ શાન્ત રાગ રૂચિભિઃ પરમાણુ ભિન્દ્ર નિર્માપિત અિ ભુવને કલલામ ભૂત તાવત એવ ખલું તે ! પ્રણવ પૃથિવ્યાં, ય સમાન મપર નહિ રુપમસ્તિ છે ભક્તામર. ગા ૧૨ હે નાથ ! આખા જગતના વિવિધ સ્વરૂપને જોઈ વળે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર બધા ને પણ જોયા, પરંતુ તે ત્રણ ભુવનના શણગાર! શાંત રસથી ચમકતા પરમાણુઓ વડે તમારૂં જે રૂ૫ રચાયું છે તે અનન્ય છે. શાંતરસ ગ્રહણ કરનાર તમને કઈ પર રોગ નથી. ઘરમાં ઘર ઉપસર્ગ આપનાર પર તમને દ્વેષ નથી. જેને તાપ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy