SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ઈડીની છાપવાળા કાગળની વાત કરું છું. જે તમે તમારા ખિસ્સામાં ખૂબ સાચવીને છે. કોહીનુર હીરે જમે ભારતમાં અને કહે ઈવેન્ડમાં. કહેવાય છે કે કેહીનુર હીરે કૃષ્ણ નદીને તીરે પડેલા એક ખેતના હાથમાં બે એનામાં એવી તાકાત.ક્યાં હતી કે તે તેને પકડી રાખે?તે હિંદુ રાજાઓની પાસે આવ્યા. ત્યાં પણ રહી ન શકા સામ્રાજ્ય બદલાયાં તેની સાથે કહીનુરના સ્વામીએ પણ બદલામાં તે મેગલ સમ્રાટેના તાજને ભાવતું હતું. ત્યાં પણ તેને આરામ ક્યાં હતો ?-અંગ્રેજો આવ્યા અને મેગલ સમ્રાટેના પતનની સાથે તેમના તાજ પણ ડુલ થઈ ગયા. એટલે કેહીનુર ગ: ત્યાંથી નીકળી અંગ્રેજી સાથે સાગર પાર કરી લંડન પહોંચ્યા. ઉss Rો ગોળ અને ઢળક છે. તેની સાથે રહીને માનવીએ પણ એવી વૃત્તિ અપનાવી લીધી છે. જ્યાં પૈસા હોય છે ત્યાં માનવી ઢળતું જાય છે. ન્યાયની ખુરશી પર બેસી કાયદાની બારીકીએ ખેાળનારા અને ન્યાયની રક્ષાને દંભ કરનારા ન્યાયાધીશે પણ તેની સામે નમી પડ્યા. તેમજ ધર્મના સિંહાસને બેસી આત્મા અને પરમાત્માની શોધ કરનારા પણ લેની સામે ઢળી પડ્યા. સત્યના ઉપદેશકો આજે સોનાના ઉપાસક બની ગયા છે. પરિગ્રહના પ્રચારકે આજે પરિગ્રહના ઈશારે નાચી રહ્યા છે. બંધુઓ ! પૈસાની સામે તે વકીલો પણ જલદીથી મૂકે છે. જેના ખિસ્સામાં પૈસા વધારે તેને પક્ષ સાચે થવાને. પછી ભલેને કઈ ખૂન કરીને પણ કેમ નથી આવતો ! આ તો વકીલની વાત કરી પણ વહેપારીઓ પણ કયાં પાછા પડે તેવા છે? દિવસના આઠે પહોર તેની પૂજામાં ગાળે છે. અહી’ ઉપાશ્રયમાં બેઠા હોય ત્યાં સુધી અપરિગ્રહનો ઉપદેશ સાંભળે અને જીજી કરે પણ જ્યાં દુકાન પર ગયા કે પિતાના પૈસાની આરાધનાના સમયે કોઈ ગરીબ અનાથ પિતાની આંસુભરી દુઃખદ કથની કહેશે તે તેને તે પિતાને માટે વિઘાતક સમજશે. આ ધન તરફ ઢળનારા લેકે સંપત્તિના સ્વામી નહિ પણ તેના ગુલામો છે. સંપત્તિના સ્વામી હેવું એ એક વાત છે અને ગુલામ હોવું તે બીજી વાત છે. તમે “ ઘોડા ઉપર સ્વાર થયા છે તે ધારેલા સ્થળે પહોંચી શકે છે. તે ઘડાની લગામ તમારી પાસે હોય ત્યાં સુધી તે ચિંતા નથી. તે તમારા ઈશારા પર દોડશે. પણ જે તમારી લગામ તેના હાથમાં ગઈ અને તેના ઈશારે તમે ચાલતા થઈ ગયા તે તમારી કેટલી મોટી હાર થશે? બંધુઓ! તમે એકાંતમાં બેસી વિચાર કરજો કે સંપત્તિ ઉપર તમારી માલિકી છે કે તમારા મન ઉપર સંપત્તિને અધિકાર છે? સંપત્તિની લગામ તમારા હાથમાં હશે તે તમે બેટે રસ્તે નહિ જઈ શકે. પૈસા તમને ખોટા રસ્તે લઈ જવા કદાચ ઈચછશે તે પણ તમે ના પાડશે અને કહેશે કે એવા પૈસા મારે નથી જોઈતા. જે તે માત્ર ન્યાય ; અને નીતિના માર્ગે મળતા હશે તો જ હું સ્વાગત કરીશ. તે સિવાય તેને માટે મારા - ઘરનાં બારણું બંધ છે,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy