SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ - ક ૭૮૨ શ્રદ્ધા છે તેને ત્વસંન–તારા સ્તવન વડે અનેક ભવના સંચિત કરેલાં કર્મો ક્ષણવારમાં નાશ પામે છે. તીર્થંકરના ગુણગ્રામ કરતાં, અરિહંતના ગુણગ્રામ કરતાં, જો આ જીવાત્માને જઘન્ય રસ આવે તે અનંત કર્મોની નિર્જરા થાય અને ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થકર નામ કર્મ બાંધે. પણ સંસારના ભોગનાં કાર્યો કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટ રસ આવે તે તમે કયું નામ કર્મ બાંધશે ? બોલે તે ખરા. (હસાહસ). વિચારે. જેવાં કર્મ કરશે તેમાં જેવો રસ આવશે–તીવ્ર કે મંદ-તે કર્મબંધ થશે. ભગવાનના વચનામૃત સાંભળ્યા પછી એને રસ આવશે તે તમને જરૂર એમ થશે કે ભગવાને અનંત કૃપા કરી છે. સુયગડાંગ સુત્રમાં કહયું છે કે, “જન સુકવે િવ છે” આ આખો લેક એકાંત દુઃખથી સળગી રહ્યો છે. તે આત્મા ! સ્વભાવમાંથી વિભાવમાં ગયે તે તારા માટે સળગતે સંસાર ઉભેલે છે. બંધુઓ! તમને દાવાનિમાંથી કોઈ બહાર કાઢે અને ઉંચકીને ભલે બહાર ફેંકી દે, તમને વાગી જાય છતાં પણ તમે તેને ઉપકાર માનશે. આંખમાં એક તણખલું પડયું હોય, તે ખૂબ ખૂંચતું હોય, સખત વેદના થતી હોય ત્યારે તણખલું કાઢનારને પણ ઉપકાર માને છે, આ દ્રવ્ય દુઃખની વેદના હતી, છતાં આપણે કહીએ છીએ કે એમને ઘણે ઉપકાર છે. એમણે મારું દુઃખ મટાડયું. તે આ નિમિત્તે ને સમિત્તિક સંબંધ ભેગા થાય ત્યારે જ બધું બની શકે છે. જ્યારે જ્ઞાનીઓ કહે છે કે જન્મજરા અને મરણના દાવાનળમાં લકે બળી ઝળી રહ્યા છે. પણ તેમને એ દાવાનળ દેખાતું નથી. તેનું કારણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતા એટલી જેર કરી ગઈ છે કે સત્યને ખ્યાલ આવતો જ નથી. જ્ઞાની કહે છે કે આ દાવાનળમાંથી બચવા માટે જાગ, જાગ. આને માટે જ્ઞાનની અવશ્ય જરૂર છે. ગાઢ અંધકારમાં સૂર્યનું એક જ કિરણ અંધકારને ક્ષણમાં નાશ કરે છે, તેમ સમ્યગ્દર્શનની એક જ ચિનગારી મિથ્યાત્વના અંધકારને નાશ કરે છે. ગાયના શીંગડા ઉપર સરસવને દાણે જેટલી વાર ટકી શકે છે તેટલી વાર સમ્યક્ત્વને સ્પર્શ રહે તે પણ અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર કપાઈ જાય છે. જુઓ, વડાપ્રધાનની પધરામણી થવાની હોય ત્યારે આખાયે શહેરની ગલીઓમાંથી કચરા વાળીને સાફ કરી નાખે છે, ત્યારે આ સમ્યગ્દવની પધરામણી કરાવવી હોય તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલે, સમ્યકત્વ મેહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મેહનીય, આ સાત પ્રકૃતિના બાવાને ઉડાડશે નહિ તે કામ નહિ થાય. સત્યકત્વ દેવની પધરામણી કરાવવી હોય તે કચરાને દૂર ફેંકશે, તે તમને સમજાશે કે “જત સુવે નરિયે જો તમારી દષ્ટિને ખેલ અને વિચારો. વિચારશે તે સમજાશે કે આ જીવાત્મા ક્યાં ક્યાં ઉત્પન્ન થયે ! “હિં છે મુને, નહિ વ સંવરે નરેશ અમારું જુદું છે, જોહિં મુછિ ” સૂયગડાંગ અ. ૧ ગાથા. ૪
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy