SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાતું ન હોય, પણ અનંત સિદ્ધિ અને કેવળી ભગવંતે બધું જ જાણે છે અને એ છે. કર્મનાં દેણ ચક્રવતિ વ્યાજ સહિત ચૂકવવા પડશે. ત્યાં પિપાબાઈનું રાજ્ય નથી. જેમ કોઈ માણસે સરકારને ગુન્હ કર્યો હોય અને તે ભાગી જાય તે તેને પકડવા માટે તેની પાછળ રંટ ફરે છે. તેમ તમે માનતા હો કે કર્મ કરીને છૂટી જાઉં. તે એ નહિ બને. ગમે તેવા નિજન વનમાં ભાગી જશે તે પણ વેરંટ વગડે આવશે. અને કર્મરાજા તમારી પાસેથી પાઈ પાઈનો હિસાબ માંગશે. નરકના દુઃખે કેવા હોય છે. તે વાત એક વખત કહેવાઈ ગઈ છે. નારકીના જીવન પરમાધામી મારતા જાય ને મેણાં મારતાં જાય છે. આવા દુકાને ન ભેગવવા હોય તે કર્મ કરતાં ખૂબ વિચાર કરે. જે આત્માઓને કમની કુટિલતા સમજાઈ જાય છે તેઓ અવશ્ય કર્મ કરતાં અટકે છે. દરરોજને અધિકાર છે જેને ચાલે છે. તેમાં ચાર આત્માઓ તો સમજી ગયાં. બે હળકમી આત્માઓ જાગવાની તૈયારીમાં છે. હવે તે છએ આત્માઓનાં નામ તમને બરાબર આવડી જવા જોઈએ. કમલાવંતી રાણી કેવી શૌર્યવંતી છે, એ અમારી બહેન જેવી કાયર ન હતી. આ કમલાવંતી તમને કોઈ દિવસ પૂછે છે કે સ્વામીનાથ! અત્યારે આપણા ઘરમાં આટલી બધી લક્ષમી કઈ રીતે આવે છે? ઘરાકને છેતરીને, દગાપ્રપંચ કરીને તે નથી લાવતાને ! એમ નહિ પૂછે, એ તો એમજ સમજે છે કે બીજાનું જે થવું હોય તે ભલે થાય. પણ મોજમઝા ઉડાવી લે. ઈષકાર રાજાની રાણી એવી ન હતી એ તે ઈષકાર રાજાને ઝાટકી કાઢીને કહે છે હે મહારાજા ! આખા ગામની લમી લાવીને ભેગી કરશે તે પણ તમારું પેટ ભરાવાનું નથી. કારણ કે તૃષ્ણને ખાડો ખૂબ વિષમ છે. ભગવાને કાણુગ સૂત્રના ચેથા ઠાણે ચાર પ્રકારના ખાડા બતાવ્યા છે. શમશાનને, સમુદ્રને, તૃષ્ણાને અને પેટને. એ ચાર ખાડા કદી પૂરાતા જ નથી. સારી પૃથ્વી જેટલો મોટો ખાટલે બનાવી અને આકાશ જેવડી તળાઈ બનાવી એના ઉપર સમાય તેટલી લક્ષ્મી એક જ મનુષ્યને આપવામાં આવે તે પણ લેભી માણસની તૃષ્ણ પૂરી થતી નથી. જેમ અગ્નિમાં ગમે તેટલા કાષ્ઠ નાંખવામાં આવે તે પણ અગ્નિ કદી શાંત થતી નથી તેમ ભી મનુષ્યની તૃષ્ણા કરી શાંત થતી નથી. કમલાવતી રાણીના અંતરમાં ઝણઝણાટી જાગી છે. એ જુસ્સો આવ્યો છે કે જેને પરણીને આવી છું એવા મારા પતિ ઈષકાર મહારાજા નરકમાં તે ન જવા જોઈએ. તેમનું આત્મ કલ્યાણ થવું જોઈએ. બ્રાહ્મણની છડેલી ઋદ્ધિ મારા રાજ્યમાં ન જ આવવી જોઈએ. જેમ જેમ મહારાજાને તે સમજાવતી ગઈ તેમ તેમ તેના અંતરમાં વૈરાગ્યના કિરણે ફૂટતા ગયાં. વળી જેમમાં આવીને મહારાજાને કહે છે – મત્તિષિ સય? ચા તથા વા, મા માળે જાય છે 1' પોદુ ધમો નરવ તા, વિઝ અનમિદ વિવિ . ઉ.અ.૧૪-૪૦
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy