SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રનો. રગ લાગ્યો ને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવને જોઈને વિરાગ્ય પામી ગયા. એક પછી એક પૂર્વના સંબધથી સંકળાયેલા છે વૈરાગ્ય પામ્યા. તેમાં ચાર આત્માઓ તે માંસારની:સમદિને ગાર સમજી છેડીને નીકળી ગયા. બે આત્માએ બાકી રહી છે તેમાં ઈધુકા રાજાને કમલાવતી રાણી ભરસભામાં આવીને કહે છે કે સ્વામીનાથી તમે નિશ્વર એવી લક્ષમીન મહમાં પડી બ્રાહ્મણ દ્વારા ત્યક્ત (તજાયેલી) લક્ષમી ભંડારમાં જાવી રહ્યા છે, તેમાં હું જરા પણ ટેકો આપતી નથી. બબ્બે વખત વમન કરાયેલી લામી માં લાવતાં તમને શરમ નથી આવતી? મહારાજ કહે છે તે રાણી ! હું કોઈના મિટિ ઉંડીને લક્ષમી નથી લાવતે, હું તે ન્યાયથી કામ કરું છું. જેને કઈ વારસદાર ન હોય તેને વારસદાર રાજા થઈ શકે છે. અને આ બધું જ ધન પ્રજાની સેવામાં વપરાવાનું છે. એમાં કંઈ અગ્ય થતું નથી. તમે રાજકાર્યમાં સમજે નહિ. જો કે તમે કદી આવી બાબતમાં માથું મારતા જ નથી, અને આજે ભરસભામાં મારું અપમાન કરી રહ્યાં છે. આમાં મને તે લાગે છે કે આજે તમારી મતિ જ બદલાઈ ગઈ છે. મહારાણું કહે છેઃ હે મહારાજા ! મારી મતિ નથી બદલાઈ. મને ભૂત નથી વળગ્યું. મારું કાળજું ઠેકાણે છે. પણ તમારી લેવૃત્તિ પૂરી થઈ નથી ને સંતોષ આવ્યું નથી. " એ બ્રાહ્મણ તે સંપત્તિને ભંગાર સમાન ગણી ઠોકર મારીને નીકળી ગયો. એ ભંગારથી ભંડાર ભરવા એ તમારા જેવા સજ્જન પુરૂષને શોભતું નથી. જુઓ. દેવાનુપ્રિ ! તમે ખૂબ પ્રેમથી આ અમારી કમલાવંતી બહેનને પરણ્યા. પણ, આ કમલાવંતી રાણી જેવી એનામાં તાકાત છે કે એના પતિની સાન ઠેકાણે લાવી શકે? તમને ઉન્માર્ગે જતાં બચાવે, તમે ભાન ભૂલે ત્યારે એ ટકેર કરે. પણ આજે એ સંસ્કૃતિ ચાલી ગઈ છે. આજે તે બાહય સૌંદર્ય, બાહય ભણતર અને કરીયાવરને જ મહયાં છે, એ શું તમારે ઉદ્ધાર કરવાની છે? ભલે રૂપ ન હોય, કરીયાવર ન લાવે પણ એના સંસ્કાર અને ગુણને પસંદ કરો. કમલાવતી રાણી ઈષકાર રાજાને કહે છે: હે રાજન! તમારું પેટ કેટલું મોટું છે? તમારી ભૂખ કેટલી વધી ગઈ છે કે તમારા ભંડાર ભરપૂર ભર્યા છે છતાં તમને સંતોષ નથી થતો ! કેમ, કાન્તિભાઈ? અમારી શ્રાવિકા તમને આવું કદી કહે છે કે સ્વામીનાથ ! ઘણું કમાયા. હવે નથી કમાવું. હું સાદાઈથી જીવન જીવીશ પણ હવે તમે આ સંસારની મજુરી ન કરશે. આ કમલાદેવી જેવી સ્ત્રી આ જમાનામાં ભાગ્યે જ હશે. | કમલાવતી રાણું ઈષકાર રાજાને કહે છે કે રાજનમને તે લાગે છે કે જે આખું જગત તમને વશ થઈ જાય, આ જગતમાં જેટલું ધન છે તે બધું જ તમને મળી જાય તે પણ એ પદાર્થોને સમુહ તમારી તૃષ્ણા પૂરી કરી શકશે નહિ. અર્થાત તમારી તૃષ્ણા શાંત થવાની નથી, કારણ તે તૃષ્ણ આકાશ જેટલી અનંત છે, અને ધન સંખ્યાત છે,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy