SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ હતું. ડોશીમાની ભાવના જોઈ સંત ડોશીને ઘેર જાય છે. ડોશીના ઘરમાં મેવા-મિષ્ટાન્ન ન હતાં. દાળ-ભાત-શાક-રોટલી પણ ન હતી. બસ એક લુખો રેટ અને ગરમ પાણી બે જ ચીજ હતી. આ માજી રોજ એક રોટલે બનાવતી. જે કોઈ સંત પધારે તે અડધો રોટલે વહોરાવી દેતી અને અડધે પિતે ખાતી. જો કેઈન પધારે તે બે ટંક અડધો અડધે રટલે પિતે ખાઈ લેતી. માજીએ અડધે રેલે સંતના પાત્રમાં વહેરાવી દીધા. અને હાથ જોડી બોલીઃ ગુરૂદેવ ! કમભાગી છું. રોટલામાં વહેરાવવા ઘી પણ મારી પાસે નથી. એક જ રેટ બનાવું છું. આપ જેવા ગુરૂદેવ પધારે તે અડધો રોટલે વહેરાવું છું. રોટલા સાથે ગરમ પાણી વહેરાવ્યું. આ ડોશીની ભાવના જોઈ સંતના મનમાં વિચાર થયે. ગરીબ છે પણ શું એની ઉત્કૃષ્ટ ભાવના છે! બસ, આજે મારે પેલા શેઠીયાઓને ઘેર ગૌચરી જવું નથી. આ સેટેલે ને પાણી જ વાપરી લેવું છે. સ્થાનકમાં જઈ ગરમ પાણીમાં રોટલે ચાળીને ખાઈ ગયાં. બંધુઓ ! નિર્દોષ આહાર શું કામ કરે છે એ તમે જેજે. સંતના પેટમાં નિર્દોષ આહાર પડે એટલે વિચાર આવ્યાઃ અહે? કેટલા વખતથી સ્વાધ્યાય-જ્ઞાન-ધ્યાન બધું જ ભૂલી ગયે છું ! લાવ આજે તે સ્વાધ્યાય કરું. સ્વાધ્યાય કરવાનું મન થયું. વાંચન કરવા બેઠા. વાંચતા વાંચતાં વિચાર થયે. અહો ? પ્રભુ, મેં બાર બાર વર્ષથી સંયમ લીધે છે, સગા-સ્નેહીઓ અને ધન વૈભવ ત્યાગ કર્યો છે, પણ પ્રશંસામાં પીગળી ગયે. આહાર સંજ્ઞામાં વૃદ્ધ બન્યા. મેં મારું કેટલું બધું ગુમાવ્યું? સાચા સંયમનું ભાન થઈ ગયું. આધાકમી આહારે તે નખેદ વાળ્યું. હવે તે માટે નિર્દોષ ગૌચરી કરવા જવું છે. આ સંત જ્યારે ગૌચરી જવા લાગ્યા. ત્યારે ભક્તો કહે છે ગુરૂદેવ ! અમે તે આપની રાહ જોઈએ છીએ. આપ કેમ અમારે ઘેર પધારતા નથી? સંત કહે છે માફ કરે. તમારા આહારે તે મારી સાધનામાં ગજબ નુકશાન કર્યું. હવે મારે એવા આધાકમી આહાર વહેરવા નથી. છેવટે નગર શેઠ ખૂબ કહે છે એટલે સંત ગૌચરી માટે જાય છે. અને શેઠને કહે છે મારી બાર વર્ષની સાધના અને આ ચાર દિવસની સાધનાનું બળ જેવું છે? - સંતે શેઠના ઘરેથી વહેરેલી ઘીમાં ઝબોળેલી રોટલી હાથમાં લીધી અને બેલ્યા. જે મારી બાર વર્ષની દીક્ષા પર્યાયમાં મેં આધાકમી” આહાર વહેરી મારું ચારિત્ર લૂંટાવી દીધું હોય તે આ રોટલીમાંથી લાલ કલરની ધાર થજે. એમ કહી મૂઠ્ઠી વાળી રોટલીને નીચેની તે રીતસર લાલ કલરની ધાર થઈ બીજી વખત પેલી ડોશીમાના ઘેરથી વહોરી લાવેલે ભૂખે ટલે હાથમાં લઈને સંત કહે છે-જે આ ચાર દિવસમાં મેં શુદ્ધ આહારની ગવેષણ કરી હોય, નિર્મળ ચારિત્રનું પાલન કર્યું હોય તે આ રોટલામાંથી સફેદ ઘીના જેવી ધાર થજે. એમ કહીને જ્યાં રોટલે નીચે ત્યાં લુખા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy