SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરનું દૃષ્ટાંત સાંભળતા તે તમને ખ્યાલ આવે છે ને કે લક્ષમી શરણે આપનારી નથી. જો તમને આટલું સમજાશે તે તમને આપે આપ એના પર રાગ ઓછો થઈ જશે. હવે આજનો માનવી વાસના અને કામનાને ભોગી બને છે, તેના વિષે થોડું સમજાવું. જો તમે દરેક વસ્તુને અનેકાંત દષ્ટિથી જોશે તે તમને બ" ખ્યાલ આવશે. જ્યારે સ્ત્રી તરફ તમે જુઓ છે ત્યારે તમને લાગે છે કે કેવી રૂપાળી છે, સુશીલ છે, શીલવંતી છે, સંસ્કારી છે. બધી રીતે સેવા ચાકરી કરે તેવી છે, આ રીતે જોઈને તમને તેના પ્રત્યે નેહ થાય છે. પણ બીજી દૃષ્ટિથી સ્ત્રી તરફ વિચાર કરે જોઈએ. અહો! હું જેના પ્રત્યે રાગ કરું છું તે શરીર કેટલું અશુચીથી ભરેલું છે અને નાશવંત છે ! એક વખતની વાત છે. એક ગામમાં મામા ભાણેજ સાથે જતા હતા. તેમાં એક સ્ત્રી જતી જોઈને ભાણેજ તેના સૌંદર્યના વખાણ કરવા લાગે. આથી મામાએ આંખે બંધ કરી દીધી અને નાકે રૂમાલ ઢાંકી દીધે. ભાણેજ કહે. મામા! આમ કેમ કર્યું? ત્યારે તેને મામા ભાણેજને સુધારવા શું ? દિકરા! એ તે ખૂબ અશુચીનું ભરેલું શરીર છે. નાકમાં લીંટ છે, કાનમાં મેલ છે, આંખમાં ચીપડા છે અને શરીર આખું મળ, કફ અને અશુચીથી ભરેલું છે. આવા અશુચીથી ભરેલા શરીરમાં તું શું મોહી પડે! એમ અનેક પ્રકારે જ્યારે મામાએ નાશવંત શરીર વિષે સમજાવ્યું ત્યારે ભાણેજને ભાન થઈ ગયું અને તેના પ્રત્યેને રાગ આપો આપ ઘટી ગયે. દેવાનુપ્રિય! સંસારના સુખે તે ઈલેકટ્રીક શોટ જેવા છે. મેહત આત્મા તેને જોતાં જ એંટી જાય છે. પણ જ્યારે તેમાં રહેલી ભયાનકતાનું દર્શન થાય છે ત્યારે તે ઉખડી જાય છે. જેમ ઈલેકટ્રીક શેટવાળા માનવીને લાકડું અડે કે તરત જ માનવી છૂટો પડી જાય છે, તેમ શરીર અશુચીનું ભરેલું છે તેવું ભાન થાય છે કે તરત જ તેના પ્રત્યેને રાગ ઘટી જાય છે. આવું જ એક બીજું દષ્ટાંત છે, તે તમને કહું છું. - એક નગર છે. તે નગરમાં એક નગરશેઠને ત્યાં સુશીલ યૌવનવંતી પુત્રી છે. રાજપુત્ર એક વખત આ કન્યાને જોઈને મોહી જાય છે અને તરત જ તેને મળવા આતુરતા દર્શાવે છે. તે પત્ર લખે છે, અને કન્યા તરત જ અઠવાડિયા પછી ટાઈમ આપે છે. આ જવાબ મળતાં રાજકુમારને થયું કે કન્યા પણ મારા જેવા જ વિચારવાળી છે. પણ તેને ખબર નથી કે આ એક સુશીલ ગૌરવવંતી ભારતીય સનારી છે. અને શીલખાતર પ્રાણ અર્પણ કરવા પણ તૈયાર છે. કન્યા જાણે છે કે રાજકુમાર ધારે તે કરી શકે તેમ છે. પરંતુ તે સંસ્કારી કન્યાને સંતને સમાગમ થયેલ હતું. એટલે આત્મજ્ઞાનથી પિતાનાં શીલના રક્ષણ કાજે પિતાનું જીવન હોડમાં મૂકે છે. પિતાના કુટુંબના રાજવૈદને બોલાવે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy