SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ પહે ઘરમાં ગૌચરી જઈએ તે જૈનની નિશાની તરીકેનું એક પણ ચિન્હ જોવા મળતું નથી. તમારા સંતાનનું ભવિષ્ય સુધારવું હોય, તમારું જીવન સુધારવું હોય તે પહેલા ઘરનું વાતાવરણ પણ સુધારવું પડશે. તમારા ઘરમાં તમારા ફોટા ટીંગાડયા હોય છે એનાથી તમને શું સિંચન મળવાનું? એના કરતાં ઘરની એક દિવાલ ઉપર લખો કે “સમર્થ જોમ મા પમાયણ” હે ગૌતમ, સમય માત્રને પ્રમાદ કરવા જેવું નથી, તે મારા તે કેટલા વર્ષો પ્રમાદમાં વીતી ગયા. બીજી દિવાલ ઉપર લખો કે “ત્તારમે કચ્છના મં” કર્મ કરનારની પાછળ જ જાય છે. કર્મ કરનારને જ ભેગવવાં પડે છે. ત્રીજી દિવાલ પર લખે કે “જાન મોર બસ્થિ” હું ગમે તેમ કરીશ. છાનાં પાપ કરીશ પણું કરેલાં કર્મ ભગવ્યા વિના છૂટકો જ નથી. જેથી દિવાલ ઉપર લખે કે “જો નથિ છે જેરૂ નામનારસ સ” આ સંસારમાં હું એક જ છું, મારું કઈ નથી તેમજ હું કેઈને નથી. તમે સવારના પહોરમાં ઉઠીને આવા સેનેરી સુવાકયે વાંચશે તે પણ તમારો આત્મા જાગી ઉઠશે. આવા સંસ્કારો તમારા આત્મામાં દઢ બનશે. આત્માને સ્વભાવ એ છે કે જેવી વસ્તુ એની સામે હોય તેવું પ્રતિબિંબ તેમાં પડે છે. જેમ ફિટિક સફેદ હોય છે પણ તેની નીચે જેવા કલરની વસ્તુ રાખવામાં આવે છે તેવું પ્રતિબિંબ તેમાં પડે છે, માટે જ જ્ઞાની કહે છેઃ જેવું વાતાવરણ તેવી વાસના. અને જેવી વાસના તેવા સંસ્કાર પડે છે. આપણે આત્મા હજુ સુધી મુક્ત દશાને પામ્યું નથી. સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યો નથી. તેનું એ જ કારણ છે કે હજુ વાસના ઉપર વિજય મેળવ્યું નથી. વાસનાને વિજ્ય જે વાસનાથી કરાય તે વાસના મેળવાઈ નથી. જેમ કાંટો કાંટાને કાઢે છે. કાંટે તીક્ષણ છે તે તેને કાઢવા માટે સાધન પણ તીણુ જોઈએ. તેમ મિસ્યા વાસનાને કાઢવા માટે સમ્યકત્વાદિ વાસના જોઈએ. જીવનમાં સમ્યગવાસનાનું સ્થાન સંસ્કારથી આવે છે, સદાચારથી આવે છે. જીવનમાં પહેલેથી સદાચારનું સિંચન કર્યું હશે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમે અચલ રહી શકશે. અને જે સદાચાર નહિ હોય તે જીવનમાં ક્રોધ-માન-માયા-લેભ આદિ દુરાચાર સ્થાન જમાવી બેસશે. દુનિયામાં કઈ મોટામાં મોટો દુશ્મન તમારૂં જેટલું અહિત નહિ કરે તેથી અધિક અહિત કરનાર આ દુશ્મને રહેલાં છે. દશવૈકાલિક સૂત્રમાં પ્રભુએ કહ્યું છે કે – कोहो पीइ पणासेइ, माणो विणय नासणो । માચી મિત્તાનિ નાડૂ, ઢોહો નશ્વ વિખાસળો દશ વૈ. અ. ૮-૩૮ . ક્રોધ તે એકલી પ્રીતિને નાશ કરે છે. માન આવે તે વિનયને નાશ કરે છે. માયા મિત્રતાને નાશ કરે છે, પણ જે કોઠામાં લેભ-શત્રુ પેઠે તો બધા ય ગુણેને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy