SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ - પપર દુર્યોધન જે કંઈ સુખે ભગવે છે તેમાં એના પૂર્વ પુણ્યની પ્રધાનતા છે. એનામાં પાપની ગણતા અને પુણ્યની પ્રધાનતા છે. જ્યારે મારા જીવનમાં પાપની પ્રધાનતા છે અને પુણ્યની ગણતા છે. જેને શાસ્ત્રકારોએ ફળની આશાથી કરવામાં આવતા તપ-જપવ્રત–નિયમને જીવનનાં શલ્ય કહાં છે. આપણી કરણી કર્મ નિર્જરાના હેતુથી જ થવી જોઈએ. કર્તવ્ય દૃષ્ટિથી થતી સાધનામાં સેનાના જેવી ચમક આવે છે. મહાન પુરૂ તપ-સંયમ આદિ ઉગ્ર સાધના કમ ખપાવવા માટે જ કરતા હતા. સુખ માટે નહિ. તેઓ સામેથી કર્મની ઉદીરણા કરવા જતાં હતાં. તે આપણને કર્મો ઉદયમાં આવે છે તેને સમતામાવે સહન કરી લેવા શું ખોટા? જેમને કર્તવ્યનું ભાન નથી, જીવનમાં સદાચાર નથી તેના જીવનની કંઈ જ કિંમત નથી. એ આત્મા ત્રણ કાળમાં પણ સુખી થઈ શકતા નથી. સદાચારી મનુષ્ય જ સુખી છે અને પાપી તે સદાને માટે દુઃખી છે. - કર્તવ્યનિષ્ઠ માનવી એનાં તે ઉપરથી જ પરખાઈ જાય છે. જેમ કેઈ વસને પારખવું હોય તે એના તાર ઉપરથી પરખાઈ જાય છે અને શસ્ત્ર એની ધાર ઉપરથી પરખાઈ જાય છે. તેમ માનવ એના નામ ઉપરથી નહિ પણ કર્તવ્ય ઉપરથી પરખાઈ જાય છે. તમે જે કુળમાં જન્મ્યા છે. શ્રાવક નામ ધરાવ્યું છે. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે–સાધુ-સાધી, શ્રાવક, શ્રાવિકા ચારે ય મળીને સંઘ બને છે. તમે પણ સંઘનું એક અંગ છે. તમારું પદ કંઈ કમ નથી. હવે તમારે પણ એ જ વિચારવાનું રહે છે કે શ્રાવક કુળમાં જન્મ્યા પછી મારે મારા જીવનમાં કેવાં કર્તવ્ય કરવાં જોઈએ. વ્યવહારથી તમે સંસારમાં રહ્યા છે, પણ નિશ્ચયે તે સંસાર છોડવાનું લણ જ હોવું જોઈએ જ્યાં સુધી સંસાર હેય નહિ લાગે ત્યાં સુધી તમે તમારું કર્તવ્ય બજાવી શકશે નહિ. આજે તે સંઘની મીટીંગ છે, બહારગામથી પણ ઘણું શ્રાવકો આવ્યાં છે, એટલે વ્યાખ્યાન લા વાગ્યે પૂર્ણ કરવાનું છે. કર્તવ્ય નિષ્ઠાને સૂર પુરાવતું એક દૃષ્ટાંત યાદ આવે છે. રાજસ્થાનના ઇતિહાસને એક સેનેરી પ્રસંગ છે. ચિતોડ ઉપર જ્યારે વનવીર રાજા ચઢી આવે ત્યારે ચિતોડને રાજા ભયભીત બની ગયે. એ પિતાના પ્રાણ બચાવવા ચિતડ છેડીને ગુપ્ત રીતે નાસી છૂટે છે ત્યારે પન્ના નામની એક ધાવ માતાને પોતાના પુત્ર ઉદયને સેંપીને તે જાય છે. “પના! અમે તે ગમે ત્યાં ભાગી જઈશું. કદાચ દુશમન અમારી પાછળ પડશે તે અમને પણ મારી નાંખશે. માટે તું આ મારા ઉદયકુમારને સાચવજે.” એમ કહીને ચાલ્યા ગયે. બીજી તરફ દુષ્ટ વનવીર નગ્ન તલવાર લઈને મહેલમાં આવે છે. એણે એ વિચાર કર્યો કે રાજા ભલે ભાગી ગયે પણ એને એક પુત્ર છે. એ જે જીવતો હશે તે એ માટે થતાં રાજ્ય પડાવી લેશે. માટે એને પહેલાં વધ કરૂં, પછી એના બાપને શેધીને તેને પણ ટુકડે ટુકડા કરી નાંખીશ.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy