SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ મહેમાન બનીને આવ્યું છે. તમારા ઘેર કેઈ માણસ મહેમાન બનીને આવે ત્યારે તમે તેની કેટલી મહેમાનગતિ કરો છે? તમારા ભાઈ બહેન, પાડોશી તથા તમારા જેટલાં સગાવહાલાં હોય તે બધા તેમનું સ્વાગત કરવા એકત્ર થઈ જાય છે. અને સુંદર સ્વાદિષ્ટ ભેજન બનાવી તમે પ્રેમપૂર્વક તેને જમાડે છે. તેનું અભિનંદન કરે છે. આ જ રીતે આ મંગલકારી પર્યુષણ પર્વ તમારે ત્યાં મહેમાન બનીને આવ્યું છે તેનું તમારે સ્વાગત કરવાનું છે. તેનું સ્વાગત કેવી રીતે કરશે? આધ્યાત્મિક જાગૃતિ કરવાની છે. પિતાની જાતનું અવલોકન કરી આંતરચક્ષુથી આત્માના દર્શન કરવા તે જ તેનું સાચું સ્વાગત છે. બંધુઓ! હવે આ સાત દિવસમાં અંતરંગ આત્માને ઘસી ભૂસીને ઉજજવળ કરવાને છે. ક્ષમાથી, તપથી અને સંયમથી આત્મદેવની સાધના કરવાની છે. એક વાર ભક્ત કવિ કબીરને કેઈએ પૂછયું. તમે પૂજા નથી કરતા? નૈવેદ્ય નથી ચઢાવતા? તમે મંદિરે નથી જતા? ત્યારે કબીરે કહ્યું હું તે દરરોજ આત્મદેવની પૂજા કરું છું. હું જે કંઈ ખાઉં છું તે આત્મદેવની સાધનાને માટે. હું પાણી વગેરે પીઉં છું, છું, ચાહું છું તે બધું આત્મદેવની સાધના માટે જ. હું કોઈને દિલને દુઃખ ઉત્પન્ન થાય એવી વાણી નથી બલતે. અને કેઈને મારા શરીરથી કષ્ટ પહોંચાડતે નથી. આ બધું આત્મદેવની સાધના નહીં તે બીજું શું ? સાચો ભગવાન આપણી અંદર જ છે. તેની ઉપાસના એ જ સાચી ઉપાસના છે. તે ભગવાનની સેવા ત્યાગથી, ક્ષમાથી, સંતોષથી કરવી જોઈએ. દેવાનુપ્રિયે! પર્યુષણ પર્વ એ આત્માની ઉપાસનાનું પર્વ છે. આ દિવસમાં આંતરનિરીક્ષણ કરવાનું છે કે મનમાં કયાંય ક્રોધની ભઠ્ઠી તો સળગતી નથી ને? માનના સપ તે ઝેરી જીભના બટકા મારતા નથી ને? તૃષ્ણાને સાગર ઉન્માદે તે ચઢયે નથી ને? વાસનાના કીડા તે ખદબદતા નથી ને? વિકારેની આંધી તે ઉઠતી નથી ને? આ બધું કદાચિત હોય તે તેને નાશ કરવા માટે જ આ પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવ્યા છે. પર્યુષણ પર્વ આ જ સંદેશ આપે છે કે આત્મામાં જે વિકારે ભરાઈ ગયાં છે તેને નાશ કરે અને સદ્દગુણને દિવડે આત્મામાં પ્રગટાવે. આ પર્વ અંધકારમાંથી પ્રકાશ તરફ, અસતમાંથી સત્ તરફ અને રાગમાંથી ત્યાગ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. આત્માને રાગ અને દ્વેષના મેલમાંથી સ્વચ્છ બનાવે. દ્વેષ કરતાં પણ રાગ તે બહુ ભયંકર છે. એ તે ઘણી વખત હું કહી ચૂકી છું. આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચવા માટે તે મૂળ રાગને જ ત્યાગ કરે પડશે એ માટે આપણે સર્વ પ્રથમ એ જાણવું પડશે કે શગ એ શું છે? અને આત્માને સ્વભાવમાંથી વિભાવ તરફ એ કઈ રીતે લઈ જાય છે? આપણી જે દૃષ્ટિથી સંસારના બધા જ પદાર્થો રમણીય દેખાય છે તેનું નામ જ રાગ છેરાગથી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy