SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જેવા લાગે છે. જેમ કે માણસે ચાર શેર ઘીને મેસૂબ બનાવ્યો હોય, મેસૂબ ખૂબ સુંદર જાળીવાળો બન્યા છે. હાથમાં બટકું લઈને ખાવા બેઠા ત્યાં કેઈએ કહ્યું કે, ખમે, ખાતા નહિ. આટલાં જ શબ્દો સાંભળતાં મેસૂબનું બટકું તમારા હાથમાં જ રહી જાય છે. તમને કહેવામાં આવે કે એમાં ઝેર પડયું છે. પછી એ ઝેર કોણે નાંખ્યું, કોણે ખાધું અને કોણ મરી ગયા ? એની ખાત્રી કરવા જતા નથી. પણ બસ, ખબર પડી કે એમાં ઝેર છે ત્યાં જ તમે એ મેસૂબને છેડી દે છે. કારણ કે ત્યાં તમે સમજો છે કે ઝેર પેટમાં જાય તે મરી જવાય. તે જ રીતે જ્ઞાનીઓ કહે છે કે હે આત્મા ! એ તે દ્રવ્ય ઝેર છે પણ કામ ભેગ એ તે ભાવ ઝેર છે. પિલું ઝેર તે એક જ ભવ બગાડશે પણ તમારી ઈન્દ્રિમાં જે કામવાસનાઓ ભરી છે એ તો તમારા ભભવ બગાડશે. ભૃગુ પુરોહિતના બે પુત્રને કામગે વિષના કટેરાથી પણ ભયંકર લાગ્યા છે. તેથી તેઓ કામગથી વિરકત બન્યાં છે. " ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएसु जे यावि दिव्वा" દેવતા મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભેગો એમને કાતીલ ઝેર જેવા લાગ્યા છે. વિષ બે પ્રકારના છે. એક વિષ વર્ષો સુધી સાથે લઈને કરવામાં આવે તે પણ કંઈ જ નુકસાન થતું નથી. બીજું વિષ એવું છે કે જેને હથેળીમાં રાખવામાં આવે તે પણ મનુષ્યના માથાની ખેપરી ઉડાવી દે છે. એવું તાલકૂટ નામનું ભયંકરમાં ભયંકર ઝેર છે. તેમ આ ઈન્દ્રિયજન્ય કામગે પણ તાલકૂટ ઝેર જેવાં છે. જે મનુષ્ય અને તિર્યંચ સંબંધી ભેગો ભગવ્યા છે. પણ હજુ એને વિષયોથી તૃપ્તિ થઈ નથી. ભેગોથી અનંત સંસાર વધે છે માટે તેને છોડે. અને બ્રહ્મચર્યનું પાલન કરે. બ્રહ્મચર્યનું પાલન કરવા માટે શું કરવું જોઈએ તે માટે દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે " जहा कुक्कुड पोयस्स, निच्चं कुललयो भयं । एवं खु बंभयारिस्स, इत्थी विग्गहओ भयं ॥" દ. સૂ. અ. ૮ ગાથા ૫૪ હે સાધક ! જે તારે અણિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તે હંમેશાં સ્ત્રીના સંસર્ગને ત્યાગ કરે. જેમ કુકડાનાં બચ્ચાંને સદા બિલાડીને ભય હોય છે તે જ રીતે બ્રહ્મચારીઓને પણ સદા સ્ત્રીઓને ભય છે. આ બે કુમારને સંયમને રંગ લાગ્યો છે અને કામગ તે કાંટા જેવા, વિષથી પણ ભયંકર લાગ્યા છે. તેવા મોક્ષના અભિલાષી પુત્ર “રાતં વાક્ય રૂમ ૩૬ ” એમના માતા-પિતાને સમજાવી રહ્યાં છે દેવાનુપ્રિયે! આ જગત ઉપર હિંસાનું તાંડવ વધ્યું. અજ્ઞાની લેક હિંસામાં શા. ૩૬
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy