SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૧૯૫ છે? ત્યારે જ્યાતિષીઓ કહે છે સાહેબ! આપનાં ગ્રહેા જોતાં એમ લાગે છે કે હમણાં ત આપને કોઈ જાતના વાંધેા નહિ આવે. પણ અમુક વર્ષાં ખાદ્ય આપના કુળના ઉચ્છેદ કરનાર અને યદુવંશના ઉદ્ધાર કરનાર એક મહાન પુરૂષ જન્મશે. એના જ હાથે આપને વિનાશ થશે. ત્યારે કંસ કહે છે બસ એટલું જ ને? એની શીખાત્રી? એની નિશાની બતાવેા. જ્યાતિષીએ કહે છે કે તે બકાસુર આદિ રાક્ષસેાના વધ કરશે. કાળીનાગને નાથશૈ આપના વધ કરશે, તે સિવાય બીજા ઘણાં કાર્યો કરશે. ત્યારે કંસ પૂછે છે એ પુરૂષ કયાં જન્મ લેશે ? ત્યારે જોષીએ કહે છે સાહેબ ! એ ખીજે કયાંય નહિ પણ મથુરામાં જ ધ્રુવ'શી વસુદેવની પત્ની અને આપની બહેન દેવકીની કુખે જે સાતમેા પુત્ર જન્મ લેશે તે જ તમારો સંહાર કરનાર થશે. તમારા સસરા જરાસ’ઘના વિનાશ કરી ત્રણે ખંડના સ્વામી વાસુદેવ ખનશે. અને સાધુસ`તાની ખૂબ સેવા કરશે. આવી ભવિષ્યવાણી સાંભળીને કંસનુ હૃદય કંપી ઉઠયું. છતાં પણ એક લગામ તેના હાથમાં હતી તેથી તેને શાંતિ હતી. દેવકીનાં લગ્ન હજી થયાં નથી. જ્યારે એના લગ્ન થશે ત્યારે વસુદેવને કાઇ પણ રીતે આંધી લઇશ. અને જ્યાતિષી કહે એ બધું જ સાચુ હાય છે એવુ કંઈ જ નથી. એક વખત એવા પ્રસંગ ખની ગયા કે કંસની પત્ની જીવયશા દેવકીનું માથું એળી રહી હતી. તે સમયે કંસના નાના ભાઈ જે દીક્ષા લઈને નીકળી ગયા હતા તે કરતા ક્રૂરતા મથુરાનગરીમાં પધાર્યાં અને કંસને ઘેર ગૌચરી માટે આવ્યા. પેાતાના ક્રિયરને ગૌચરી માટે આવેલા જોઈ ને બેફામ બનેલી જીયશા ક્રાધમાં આવીને ખેલવા લાગી કે તમારા ભાઈ આવા મેાટા રાજ્યનાં ધણી, આવું મેટું રાજ્ય ચલાવે અને તું ઘેર ઘેર ટુકડા માંગતા ક્રે છે ? તમારામાં રળવાની તાકાત ન હેાય તા કાંઈ નહિ, ઘરમાં બેસીને રાટલા ખાવ, પણ આ ઘરઘરના ટુકડા માંગીને અમારા કુળને લજવી રહ્યાં છે. તેા તમારું આ ભિખારીપશુ' છેડી દો. જીવયશાના ગવયુક્ત વચન સાંભળી મુનિ કહે છે, આપ મને ટુકડા માંગના। ભિખારી કહેા છે. પણ હું ભિખારી નથી. " संजोगा विप्पमुक्कस, अणगारस्स भिक्खुणो । विणय पाउ करिस्सामि, आणुपुव्वी सुणेह मे ॥ ઉ. સૂ. અ. ૧ ગાથા. ૧ ,, હું બાહ્ય અને આભ્યંતર સચાગેાથી મુક્ત થયેલેા નિગ્રંથ મુનિ છું. જે રીતે મને કલ્પે તે રીતે ભિક્ષાચરી કરું છું. આ રીતે શાંતપણે મુનિએ જીવયશાને કહ્યું. છતાં તે મન ફાવે તેમ ખેલવા લાગી. એવામાં ત્યાં એક ગાય આવે છે. મુનિનું શરીર તપશ્ચર્યાથી સૂકાઈ ગયુ છે, એટલે ગાયનું શીગડું વાગતાં મુનિ પૃથ્વી ઉપર પડી જાય છે. આ સુનિ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy