SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આપવાના ન હોવાથી વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરના પાંચે કલ્યાણકેની તિથિઓ તથા તેના આરાધનની વિધિ જણાવી છે. ૪ શાશ્વતા તીર્થંકરની ૪ પ્રતિમાઓ તેના નામે ૧ રાષભાનન, ૨ ચંદ્રાનન, ૩ વારિષેણ ને ૪ વર્તમાન આ ચાર પ્રસિદ્ધ છે. ૧૦૨૪ એ પ્રમાણે તીર્થકર થાય છે. ત્રીશ વીશીના ૭૨૦, ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૬૦, વિહરમાન ૨૦ અને શાશ્વતા ૪ એ ૯૦૪ પ્રભુનું આરાધન છુટક ઉપવાસ કરીને કરવામાં આવે છે, અને તે પ્રભુના નામ સાથે “સર્વજ્ઞાય નમઃ” એ પદ જેડીને વિશ નવકારવાળી ગણવામાં આવે છે તથા બાર લેગસ્સને કાઉસગ્ન કરવામાં આવે છે. ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૭૦ તીર્થકરેનું આરાધન સતત ૧૭૦ એકાસણાથી અથવા એક સાથે ૩૨–૩૨ કે ૨૦-૨૦ એકાસણા કરીને અથવા એકાંતરે ઊપવાસ કરીને કરવામાં આવે છે. દરેક પ્રભુના આરાધનમાં ઉપર જણાવેલ વિધિ ઉપરાંત જિન પૂજા, ૧૨ સ્વસ્તિક, ફળ, નૈવેદ્ય, બાર ખમાસમણ વિગેરે પણ કરવાના છે. યથાશકિત સંઘપૂજા, સ્વામીવાત્સલ્ય પણ કરવાનું છે. ૧૭૦ જિનને ખુલાસે. ૧૬૦ ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં થયા તે. ૧૦ પાંચ ભારત અને પાંચ ઐરાવત તે દરેક વીશીના બીજા તીર્થકર જાણી લેવા – તે ૧૭૦ તીર્થકરમાં ૧૬ કાળાં, ૩૮ લીલા ૫૦ ઉજવલ, ૩૦ રાતા અને ૩૬ પીળા–એ ૧૭૦ તીર્થકર આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન વીશીના બીજા તીર્થકર અજિતનાથ હતા ત્યારે વિચરતા હતા. તેના કરતાં વધારે તીર્થકર આ અવસપિણ કાળમાં થયા નથી માટે તેને ઉત્કૃષ્ટ તીર્થકર કહ્યા છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy