SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) થવું એ જ મારી ફરજ છે, એ જ મારો સ્વભાવ છે, એથી વિપરીત ચાલવું એ મારું વિભાવ છે એમ મને કયારે જણાશે? આશ્રવ એ જ સંસાર છે, આશ્રવ એ જ બંધન છે, આશ્રય એ જ દુઃખ છે અને આશ્રવ એ જ ત્યાગવા યોગ્ય છે, એવી ખબર પાકે પાયે કયારે પડશે ? અને સંવર એ જ સુખ છે. એમ જ્યારે જાણવામાં આવશે ? હું મારા સ્વરૂપમાં છું કે નહિ? શુદ્ધ ઉપગમાં છું કે નહિ? ધર્મધ્યાનમાં છું કે નહિ? સ્વભાવમાં છું કે નહિ ? એમ કયારે વિચારણા થશે? મારામાં ક્ષમા-સહનશીલતા-માઈ. વતા અને કરૂણા છે કે નહિ એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ ? આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરૂ, આત્મા એ જ ધર્મ, આતમા એ જ સુખ, આત્મા એ જ મોક્ષ, આત્મા એ જ અખંડ આનંદ અને આત્મા એ જ પરમાત્મા છે, એમ યથાર્થ કયારે જાણવામાં આવશે? સંતનું, શરણ સંતની સેવા, સંતની મન, વચન અને કાયાથી ભકિત સંત પર પ્રીતિ, સંત પર શ્રદ્ધા, સંત પર ગુરૂબુદ્ધ અને અહોનિશ સંતને સંગની જ ઈચ્છા કયારે જાગૃત થશે? સદ્દગુરૂ એ જ તરણતારણ સદ્દગુરૂ એ જ દેવ, સશુરૂ એ જ સુખનું સાધન, સદગુરૂ એ જ મેક્ષમાર્ગના દાતા, સગુરૂ એ જ પરમમિત્ર, સદ્દગુરૂ એ જ પરમગુરૂ અને સદ્દગુરૂ એ જ પ્રત્યક્ષ અરિહંત સમાન છે એમ કયારે યથાર્થ ભાવે જાણ વામાં આવશે ? મારા પિતાના દેષ જેવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ કયારે ઉત્પન્ન થશે ? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની એકયતા, જિનપદ અને નિજ પદની એક્યતા અને પરમાત્માના ગુણ જોઈ મારામાં તે ગુણેની ઉત્પત્તિ કયારે થશે ? સર્વ જીવ સરખા છે, સર્વ જીવ નિશ્ચયથી સ્વભાવે શુદ્ધજ્ઞાનસ્વરૂપ, શુદ્ધ દર્શનસ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ અનંત ઉપયોગમય અને અનંત શકિતવંત છે પણ કર્મ રૂપ શત્રુના
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy