SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) અનુક્રમે જે એ ગુણે કહેવામાં આવેલા છે, તે અસંખ્યાત ગુણે નિર્જરાના કરનારા છે, તેથી એકલાથી પણ અધ્યાત્મની વૃદ્ધિને માટે પ્રયત્ન કરે. ૧૧ શુદ્ધ જ્ઞાન અને શુધ્ધ ક્રિયા એ બે અંશે મેટા રથના બે ચકની જેમ અને પક્ષીની બે પાની જેમ સાથે રહેલા છે. ૧૨ પૂર્વે નિશ્ચયનય અને વ્યવહારને આપ માત્ર ઉપચારથી છે, પણ પાંચમા ગુણઠાણાથી માંડીને એ નય ઈચ્છે છે. ૧૩ મુશ્રષા–સેવા કરવી વિગેરે ક્રિયા એથે ગુણઠાણે પણ ઉચિત છે, જેમને સુવર્ણનું આભૂષણ મળે નહીં તેમને રૂપાનું આભૂષણ મળે તે સારું ગણાય છે. ૧૪ અપુનર્ણધક એટલે થે ગુણઠાણે રહેલાની જે શમ સહિત ક્રિયા છે, તે દર્શનના ભેદથી વિચિત્ર છે અને ધર્મને વિશ્વને શય કરનારી છે. ૧૫ અશુધ્ધ એવી પણ ક્રિયા સારા આશયથી શુદ્ધ ક્રિયાને હેતુ થાય છે. તાંબું બાળી રસને અનુવેધ કરવાથી તે સુવર્ણપણાને પામે છે. ૧૬ એ કારણ માટે ધીર બુદ્ધિવાળા પુરૂષે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એવા ત્રણ રત્નના માર્ગને વિષે પ્રવેશ કરવાને મિથ્યા કષ્ટિવાળાને પણ દ્રવ્ય સમક્તિને આરેપ કરી ચારિત્ર આપે છે. ૧૭ કદી કોઈ એમ કહેશે કે ભાવ જાણ્યા સિવાય-ચારિત્ર આપવાથી સિદ્ધિ અને અસિદ્ધિ હણાઈ જાય છે, તે પછી ભવ્ય જીવાને પણ ટક્ષા ન આપવી, પણ તેમ કરવાથી સમ્યગુ માર્ગને ઊછેદ થઈ જાય છે. ૧૮ - એમ અશુધને અનાદર કરે અને શુદ્ધ યોગને અભ્યાસ ન કરે ત્યારે દર્શન જે સમક્તિ તે પણ શુદ્ધ ન થાય, કારણ કે એક નિસર્ગ–સ્વાભાવિક સમક્તિ ટાળીને શુદ્ધ કરવું તે પણ અભ્યાસથી જ થઈ શકે છે. ૧૯ શુદ્ધ માર્ગના અનુરાગવડે ઉત્તમ એવા અને ગુણવાન પ્રાણને આધીન રહેનારા પુરૂષના આત્માની જે શુદ્ધતા છે, તે ક્યારે પણ હણાતી નથી. ૨૦
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy