SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 48 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 25. વર્ય-જીવ માત્રને માટે હિંસકવૃત્તિ, હિંસ પ્રવૃત્તિ મોટામાં મોટું પાપકર્મ હોવાથી તે પાપને લેપ, સંબંધ અને નિકાચન વા જેવું મનાયું છે, અથવા જેમનાં જીવનમાં સવિવેકના દીપ પ્રજ્વલિત થયા છે, તેવા પાપભીરૂ આત્માઓને અવશ્યમેવ તજવા લાયક છે. આ કારણે જ વર્યને પ્રાણાતિપાતને પર્યાય કહેવાય છે. આના સ્થાનમાં સાવદ્ય પાઠાન્તર પણ છે. લેગ્યાઓમાં જ્યારે ગંદુ તત્વ પ્રવેશ કરે છે ત્યારે તેમના માલિકનું જીવન અને ક્રિયાઓ સાવધ જ હોય છે. અવધ એટલે પાપ અને સાવદ્ય એટલે પપપૂર્ણ, પાપસહિત, પાપમય પ્રવૃત્તિ અને વૃત્તિ. 26. પરિતાપનપૂર્વક આશ્રવ –આમ તે મૃષાવાદાદિને પણ આશ્રવ જ કહ્યો છે તે પણ તેમાં પ્રાણવધની ભજના છે અર્થાત્ થાય અને ન પણ થાય. પરંતુ મૂળ સૂત્રમાં પ્રાણવધ સાથે આશ્રવ મૂકયો હોવાથી અહીં દશે પ્રાણમાંથી કઈ પણ પ્રાણને હાનિ કરવારૂપ આશ્રવ લેવાનો છે. સારાંશ કે સ્વાર્થવશ, મશ્કરીવશ કામવશ કેકષાયવશ થઈને સામેવાળાને પ્રાણોને હાનિ પમાડવી તે પરિતાપન આશ્રવ કહેવાય છે. 27. વિનાશ –“ન ધાતુ અદર્શન અર્થમાં હેવાથી શ્વાસોશ્વાસ આદિ દ્વારા પ્રાણીઓને પ્રાણને સંપૂર્ણ રીતે ખતમ કરવા તે વિનાશ છે. 28. નિર્યાપના –વિશેષ પ્રકારે પ્રાણીના પ્રાણને ખતમ કરવામાં જે પ્રયજક હેય તે નિર્યાપના કહેવાય છે.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy