SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 26 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અનાર્ય અને ખાનદાન વિનાના માનવે જે કાર્ય કરે, ભાષા બોલે, ઈત્યાદિ કાર્યો મારે કરવા જોઈએ? કે ન જોઈએ? તેને વિવેક ન હોવાથી તેમના જીવનમાંથી પાપ જુગુપ્સા, પાપ ભરૂતા પણ ધીમે ધીમે અદશ્ય થતી જાય છે, પરિણામે ગમે ત્યારે અને ગમે ત્યાં પણ પારકાનું હનન, મારણ, તાડન આદિ કાર્યો કરી શકે છે. 8. નૃશંસ-નિર્ક -નૃશંસ એટલે દયા વિનાને અને નિસૂક એટલે લજજા વિનાને. લજજા વિનાના માનને દયારહિત બનતાં વાર નથી લાગતી, તેવાઓના જીવનમાં સૂરતાને પ્રવેશ સુલભ બને છે. ફળસ્વરૂપે સર્વથા નિરર્થક કાર્યો કરવામાં–જેવા કે લેવા-દેવા વિના પણ ફળ-ફૂલ તેડવા, ઝાડના પાંદડા, ડાળ, નાની ડાળ વગેરે કાપવી, બેઈદ્રિયાદિ જીને ચગદવા, પગથી જમીન સાથે ઘસવા, કુતરીના બચ્ચાંએને લડાવવા, સર્પ–વીંછી આદિ અને પત્થર, કંડ કે બંદુકની ગોળીથી વિધી નાખવા વગેરે કાર્યો કરવામાં પણ જેમને લજજા નથી તેઓ શું પંચેન્દ્રિયોને, કુટુંબીઓને છેવટે પરસ્ત્રીના મેહમાં આવીને પિતાની ઘરવાળીને પણ હેરાન પરેશાન કર્યા વિના રહી શકવાના છે? આવ એના જીવનમાં ધર્મસંજ્ઞા, જ્ઞાનસંજ્ઞાને અભાવ હોવાથી ગમે ત્યાં પણ હિંસતાનું પ્રદર્શન કર્યા વિના રહેવાના નથી. - * 9. મહાભય:-અવસર આવ્યે બીજાઓને મારવાની આદતવાળા હિંસક માનવને પણ સામેવાળાથી ભયની પ્રાપ્તિ
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy