SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 351 તેમને બીજે ક્યાંય બેસવું, બેલવું કે ઊઠવું પણ ગમતું નથી. ઉશ્કેરાયેલું મન હજાર મણ આઈસક્રીમ જાપટી ગયા હોય કે એરકન્ડીશનમાં બેઠા હોય તે પણ ગરમ જ હોય છે. તેમનું મન એકમાં સ્થિર નથી, બીજીમાં ઠરતું નથી, ત્રીજી બહારથી ગમે છે પણ અંદરથી નહિ, એથી મદ્રાસમાં, પાંચમી કલકત્તામાં, છઠ્ઠી પૂનામાં, સાતમી વળી ક્યાંય બગાસાં જ ખાતી હોય છે. આવી રીતે તેમનું જીવન ભંડ કરતાં પણ ગયું–વીતેલું હોય છે. મૈથુનાસક્તિમાં આટલી બધી તાકાત શા કારણે? “સર્વ રીતે સંપૂણ ભેગકર્મના સાધને મને મળે” તેવા નિયાણાપૂર્વક બાંધેલ વેદકર્મની અતિ તીવ્રતાના પ્રતાપે તેવા છની મૈથુન સંજ્ઞા અત્યંત બળવાન હોવાથી તેમનું શરીર, મન અને ઈન્દ્રિયે પણ સર્વથા કન્ટેલ આઉટ થઈ ગયેલી હોય છે. સંજ્ઞા શબ્દના બીજા ઘણા અર્થોની કલ્પના પ્રસ્તુત પ્રકરણમાં અનાવશ્યક હોવાથી અહિ જૈન શાસનની પરિભાષામાં સંજ્ઞાને અર્થ વાસના જ કરવાનું રહેશે. કેમ કે પૂર્વભવમાં જેવા આશયથી, પાપકર્મની કે પુણ્યકર્મની વાસનામાં પિતાનું શરીર છેડનાર જીવ બીજા ભવે પણ તેવી જ વાસનાવાળે બને છે. આ પ્રમાણે પૂર્વભવની અતિ બળવતી વાસનાને સહાય કરનાર શરીર છે. પણ પરિગ્રહ વિનાના શરીરની સહાયતા શા કામની? મોટરને પેટ્રેલની જેમ શરીરને પણ માલમસાલા ખાવા મળે તે જ ગાડું
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy