SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 290 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાળ પાસે, ત્યાંથી વરલીની પાળ પાસે પણ આવી શકે છે. તેવી રીતે નરકગતિમાં રહેલે જીવ મનુષ્યાવતાર પામીને શેક, શાહુકાર, રાજા, મહારાજા બની શકે છે અને ત્યાંથી દેવ પણ બને છે. ત્યાંની મેજમજાનું દેવાળુ કાઢીને બીજે ગમે ત્યાં પણ જઈ શકે છે. સારાંશ કે જીવાત્મા ચાર ગતિઓમાં તેવી રીતે જકડાઈ ગયે છે જેથી બહાર જઈ શકતું નથી. - સાગર એટલે જળને અગાધ ખજાને, તેવી રીતે સંસરમાં પણ જન્મ, જરા, મૃત્યુથી ઉત્પાદિત મહાભયંકર ફલેશાદિરૂપ જળ છે. અહિ ફલેશાદિને જળનું રૂપક આપ્યું છે. જ્યાં સુધી કાર્મણ શરીરની સત્તા છે, ત્યાં સુધી તજજન્ય બીજા શરીરને સ્વીકાર કરવાને જ રહ્યો. શરીરને વૃદ્ધાવસ્થા અને મરણ પણ છે. જન્મવું ભલે ગમતું હોય, પણ વૃદ્ધાવસ્થા અને મરણથી પ્રત્યેક જીવાત્મા ભય પામ્યા વિના રહેતા નથી અને જ્યાં ભય છે. ત્યાં દુઃખ છે. સારાંશ કે, સંસારસાગરમાં રહેલા દુઃખેની પરંપરા રૂપ જળ કક્યારેય ખુટવાનું નથી. આષાઢ, શ્રાવણ મહિનામાં પાટીની પાળ પર બેઠા હોઈએ અને અત્યન્ત વેગ સાથે પાણીનું પૂર ઉછળતું હોય ત્યારે ભલભલા મૂછાળા માનને પણ ભય લાગ્યા વિના રહેતું નથી. તેવી રીતે " સારામાં સવા કુલી ગરમ કરન શોમા આ ન્યાયે સંસારી આત્મા સદૈવ દુઃખી છે. “પુનઝન પુરક મરકં પુનરાગનની ન રાયન” અર્થાત્ કર્મોના ફલેશેના કારણે જમ્યા, વૃદ્ધ થયા, રેગિષ્ટ થયા અને મર્યા.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy