SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 191 પાસે પણ ભ ગ તે હશેને? ઈત્યાદિ કારણેને લઈ નિયતિને જ સર્વેસર્વા માનવાની ભૂલ અસત્યને આભારી છે. પ્રત્યાખ્યાન (પચ્ચફખાણ) ધર્મનું સાધન નથી, આમ કહેવું તે સર્વથા અસત્યભાષા છે. કેમકે તીર્થંકર પરમાત્માએાએ પ્રત્યાખ્યાનને ધર્મને અંગ તરીકે માન્યું છે અને ઉપદેશ્ય છે. કાળ વિના વૃક્ષેને ફળ, આકાશમાં વિજળીના ચમકારા, ફળની પરિપક્વતા આદિ થતી જ નથી, માટે કાળ પ્રમાણ છે. આ ભવ સુધીની આયુષ્ય મર્યાદા પૂર્ણ થયે જીવના ભાગ્યમાં મૃત્યુ પણ છે માટે આયુષ્યકર્મની સિદ્ધિને માન્યા વિના છુટકો નથી. અરિહંતે, ચક્રવર્તીઓ વગેરે મહાપુરૂષે છે, તે વિના શાસ્ત્રોની પરંપરા ક્યાંથી આવત. માટે તે આગના પ્રરૂપકે પણ હોવા જોઈએ. પંચમહાવ્રતધારી, સમિતિ ગુપ્તિના પાલક મુનિરાજે પહેલા પણ હતાં અને આજે પણ સૌને સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. માટે ધર્મ છે, અધર્મ છે અને તેના ફળ પણ છે. ઈન્ડિયાના ભેગોમાં અત્યાસક્ત થવું તે નિન્દનીય કાર્ય છે, માટે ત્યાજ્ય છે. આ પ્રમાણે તે વાદીઓની અસત્યતા પ્રત્યક્ષ છે. તેમ છતાં તે મૂઢે, અતીવ મૂઠે અજ્ઞાનના નશામાં સંસારીઓને ઠગી રહ્યા છે. છે તે દર્શનમાં સૃષ્ટિ રચના કેવા પ્રકારે છે? સંસારને બનાવનાર કેણી નાની ઉંમરના બચ્ચાથી લઈને વૃદ્ધ સુધીના માનવીને આ પ્રશ્ન હોવા છતાં સમ્યગુબુદ્ધિ અને સમ્યજ્ઞાનના અભાવે ત–વિતર્કો અને વિતંડાવાદોથી સુવુ નિર્ણય મેળવ્યા વિના જ કાળ કવળિત થાય છે.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy