SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪] [ શ્રી સિદ્ધપદ " “ કી ગલ મુશ્કીલ, બે રબદા પાવના, ઈધર કે દિલકો તોકે, ઉધર લગાવના.” આનો અર્થ એ જ છે કે જે ખુદા મેળવવા હોય તે મુશ્કેલ શું છે? સંસારમાં મન જેટલું રચ્યું–પચ્યું છે તેટલું જ મન ખુદામાં લગાવી દેવાનું. અત્યારે આપણું મન સંસારના રાગરંગમાં ચકચૂર છે. જે આપણને નિગોદમાંથી વ્યવહાર રાશિમાં લાવનાર આત્માને જાણવાનું મન થાય તે સંયમમાગેકૂચ થયા વિના રહે નહીં! આપણું મુખ્ય વાત સિદ્ધ ભગવંતેના ઉપકારને વિચારવાની છે. નિગોદ રૂપ અનાદિ કારાગારમાંથી છોડાવનાર આત્માનો ઉપકાર કોઈ ના સુનો નથી ! આજે આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ અને ભવિષ્યમાં મોશે પહોંચીશું એ બધે સિધ્ધ પરમાત્માને જ ઉપકાર છે. હા, પણ એટલું ચક્કસ છે કે તે વખતે આપણા નિમિત્તે પણ એક આત્મા અનાદિ નિગેદમાંથી બહાર વ્યવહાર રાશિમાં પ્રવેશશે. એટલે એક રીતે વિચારે તે જે આત્માએ આપણને સિધ્ધ ગતિમાં જવા નિગોદમાંથી બહાર કાઢ્યા છે તે આત્માના ઉપકારનો પ્રત્યુપકાર છે ત્યારે જ વળે કે જ્યારે આપણે મોક્ષમાં જઈએ અને આપણું નિમિત્તે એક આત્મા નિગેદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે કે જે આત્મા મોક્ષમાં પહેએ તે તો કૃતાર્થ જ છે. તેને તો પ્રત્યુપકાર શક્ય જ નથી. ગુરુના પ્રત્યુપકાર માટે હજી પણ કહેવાય છે કે કર્મ યેગે ગુરુ સંયમ માર્ગમાં પાછળ પડી જાય. સંયમ માર્ગથી પતિત થઈ જાય તે તેમને પાછા માર્ગમાં
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy